Gujarat Weather Update : આજે આ જિલ્લાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તાર માટે કરાઈ હીટવેવની આગાહી..


  • Published By :
  • Published Date : 2024-05-16 11:28:41

ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.. છેલ્લા અનેક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. તે સિવાય કચ્છ, પોરબંદર, ભાવનગર અને સુરત માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે...



ઠંડક તો પ્રસરી વાતાવરણમાં પરંતુ ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા.. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો જેને કારણે અનેક લોકો બિમારીનો શિકાર પણ બન્યા હતા.. પરંતુ ગુજરાતમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સામાન્ય માણસોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જગતના તાતની ચિંતા વધી ગઈ છે... ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે તેમને રડવાનો વારો આવ્યો છે.. 


આ જગ્યા માટે કરાઈ હીટવેવની આગાહી 

17 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હાલ તો ગરમીથી આંશિક રાહત મળી પરંતુ આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે... આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..   


22 મે સુધી કરાઈ હીટવેવની આગાહી

હીટવેવની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 17થી 22 મે દરમિયાન તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 43ને પાર પણ જઈ શકે છે... ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીવું જોઈએ, કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.