Gujarat Weather Update : આજે આ જિલ્લાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તાર માટે કરાઈ હીટવેવની આગાહી..


  • Published By :
  • Published Date : 2024-05-16 11:28:41

ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.. છેલ્લા અનેક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. તે સિવાય કચ્છ, પોરબંદર, ભાવનગર અને સુરત માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે...



ઠંડક તો પ્રસરી વાતાવરણમાં પરંતુ ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા.. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો જેને કારણે અનેક લોકો બિમારીનો શિકાર પણ બન્યા હતા.. પરંતુ ગુજરાતમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સામાન્ય માણસોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જગતના તાતની ચિંતા વધી ગઈ છે... ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે તેમને રડવાનો વારો આવ્યો છે.. 


આ જગ્યા માટે કરાઈ હીટવેવની આગાહી 

17 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હાલ તો ગરમીથી આંશિક રાહત મળી પરંતુ આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે... આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..   


22 મે સુધી કરાઈ હીટવેવની આગાહી

હીટવેવની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 17થી 22 મે દરમિયાન તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 43ને પાર પણ જઈ શકે છે... ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીવું જોઈએ, કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.