Gujarat Weather Update : આજે આ જિલ્લાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તાર માટે કરાઈ હીટવેવની આગાહી..


  • Published By :
  • Published Date : 2024-05-16 11:28:41

ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.. છેલ્લા અનેક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. તે સિવાય કચ્છ, પોરબંદર, ભાવનગર અને સુરત માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે...



ઠંડક તો પ્રસરી વાતાવરણમાં પરંતુ ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા.. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો જેને કારણે અનેક લોકો બિમારીનો શિકાર પણ બન્યા હતા.. પરંતુ ગુજરાતમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સામાન્ય માણસોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જગતના તાતની ચિંતા વધી ગઈ છે... ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે તેમને રડવાનો વારો આવ્યો છે.. 


આ જગ્યા માટે કરાઈ હીટવેવની આગાહી 

17 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હાલ તો ગરમીથી આંશિક રાહત મળી પરંતુ આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે... આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..   


22 મે સુધી કરાઈ હીટવેવની આગાહી

હીટવેવની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 17થી 22 મે દરમિયાન તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 43ને પાર પણ જઈ શકે છે... ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીવું જોઈએ, કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ. 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.