Gujarat Weather : વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, ગાજવીજ સાથે થશે વરસાદનું આગમન?


  • Published By :
  • Published Date : 2024-06-07 16:23:31

થોડા દિવસો પહેલા ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને વાતાવરણ વાદળછાયું થયું હતું.. પવન પણ સારો ફૂંકાતો હતો. જેને કારણે લાગતું હતું કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે... ચોમાસું ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. વરસાદની આગાહી કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો એમ માનીને કે ગરમીથી આંશિક રાહત મળશે,.. પરંતુ એકા એક ગરમીના પ્રમાણમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આગાહી

ગુજરાતના લોકો ગરમીથી ત્રાસી ગયા છે અને આ મારી નાખતી ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે.. લોકો માને છે કે વરસાદ આવે અને ગરમીથી રાહત મળે.. વરસાદ ક્યારે આવશે તેની પ્રતિક્ષામાં લોકો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમીનો અહેસાસ થાય છે તો કોઈ જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે.. જ્યારે જ્યારે વરસાદની આગાહીની વાત થાય ત્યારે બે આગાહીઓ પર લોકો વધારે ધ્યાન આપતા હોય છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તો બીજી એક આગાહી જે હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવતી હોય છે..


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 જૂન સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.  10 તારીખ સુધીમાં તો વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. 7થી 14 તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે. 12થી 15માં ગુજરાતના ઘણાં ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે તેમણે એવું પણ કહ્યું કે શરૂઆતના સમયમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે આવી શકે છે.. 



ગરમીને કારણે અનેક લોકો પડ્યા છે બિમાર!

મહત્વનું છે કે આ વખતની ગરમી આકરી સાબિત થઈ  છે.. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે.. 45 ડિગ્રીની આસપાસ તો અનેક જગ્યાઓનું તાપમાન નોંધાયું હતું. આસમાનમાંથી જાણે આગ વરસતી હોય તેવો અહેસાસ થતો હતો.. ગરમીને કારણે  અનેક લોકો બિમાર પડ્યા. હિટ સ્ટ્રોકને કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.. ગરમી એટલી ભયંકર હતી કે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગરમીથી જલ્દી રાહત મળે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.