Gujarat Weather - કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે? જાણો ક્યાં સૌથી ઓછું તાપમાન નોંધાયું? Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-18 13:49:23

ગુજરાતીઓ ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. ધીરે ધીરે ઠંડી લાગવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે...  બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે.. સામાન્ય રીતે આ સમયમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે.... રાજ્યના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવસોમાં આ તાપમાન વધુ ગગડી પણ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે... 


ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન!

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેવી વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે...  લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું નોંધાયું છે.. 15.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે... દાહોદનું તાપમાન 16 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18.5 ડિગ્રી નોંધાયું છે...  ડીસાનું તાપમાન 18.6 જ્યારે પોરબંદરનું તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે... તે ઉપરાંત રાજકોટનું તાપમાન 17.7 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે... 


અંબાલાલ કાકાની આગાહી શું કહે છે? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે... તેમણે જણાવ્યું કે 20 તારીખ બાદ વધારે ઠંડીનો અહેસાસ થશે.. મહેસાણા, પાલનપુર, ગાંધીનગર.હિંમતનગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં ઠંડીનો વધારે અનુભવ થશે... નવેમ્બરના અંત સુધીમાં એવી ઠંડી નહીં પડે જેટલી ઠંડી પડવી જોઈએ પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની અનુભુતિ થશે.. છઠ્ઠી તારીખથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે.. પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.