Gujarat Weather - કડકડતી ઠંડીનો અહેસાસ ક્યારથી થશે? જાણો ક્યાં સૌથી ઓછું તાપમાન નોંધાયું? Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-18 13:49:23

ગુજરાતીઓ ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. ધીરે ધીરે ઠંડી લાગવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે...  બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે.. સામાન્ય રીતે આ સમયમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે.... રાજ્યના 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવસોમાં આ તાપમાન વધુ ગગડી પણ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે... 


ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન!

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેવી વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે...  લઘુતમ તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું નોંધાયું છે.. 15.8 ડિગ્રી તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે... દાહોદનું તાપમાન 16 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18.5 ડિગ્રી નોંધાયું છે...  ડીસાનું તાપમાન 18.6 જ્યારે પોરબંદરનું તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે... તે ઉપરાંત રાજકોટનું તાપમાન 17.7 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે... 


અંબાલાલ કાકાની આગાહી શું કહે છે? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે... તેમણે જણાવ્યું કે 20 તારીખ બાદ વધારે ઠંડીનો અહેસાસ થશે.. મહેસાણા, પાલનપુર, ગાંધીનગર.હિંમતનગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં ઠંડીનો વધારે અનુભવ થશે... નવેમ્બરના અંત સુધીમાં એવી ઠંડી નહીં પડે જેટલી ઠંડી પડવી જોઈએ પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની અનુભુતિ થશે.. છઠ્ઠી તારીખથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે.. પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો... 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.