બહુ ચર્ચિત Rajkot Loksabha બેઠક પર પરષોત્તમ રૂપાલા સામે Congress ઉતારશે પરેશ ધાનાણીને? સાંભળો આ મામલે શું કહ્યું લલિત કગથરાએ?


  • Published By :
  • Published Date : 2024-04-09 15:42:40

જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જેના માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામની જાહેરાત કરે છે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ સૌથી વધારે રસપ્રદ બેઠક રાજકોટ લોકસભા બેઠક છે.. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે તો બીજી તરફ એવી ચર્ચાઓ છે કે કોંગ્રેસ આ બેઠક પર પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે... 

રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી હોઈ શકે છે ઉમેદવાર 

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે પરંતુ અનેક એવી બેઠકો છે જ્યાં ઉમેદવારને લઈ સસ્પેન્સ બન્યો છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાં રાજકોટ, મહેસાણા ,અમદાવાદ પૂર્વ તેમજ નવસારી બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતારી શકે છે. હજી સુધી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે પરેશ ધાનાણી ચૂંટણી નથી લડવાના પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે... 


11 એપ્રિલે કોંગ્રેસ ઉમેદવારના નામની કરી શકે છે જાહેરાત 

એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી જાહેર કર્યા. એવી માહિતી સામે આવી છે કે 11 એપ્રિલ બાદ ઉમેદવારના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે. બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તેની પર તો સૌ કોઈની નજર રહેલી છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે તેની પર બધાની નજર રહેલી છે. આ બેઠક હાલ ચર્ચામાં છે કારણ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ધાનાણીને કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી ટિકીટ આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.   


ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ નથી કર્યા જાહેર!

પરેશ ધાનાણીને લઈ અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે તે ચૂંટણી નહીં લડે.. ચૂંટણી લડવાનો ઈન્કાર તેમણે કરી દીધો હતો તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને ચૂંટણી લડવા માટે મનાવાઈ લેવાયા છે. આ બધા વચ્ચે લલિત કગથરાની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં તે કહી રહ્યા છે કે ભાજપ રૂપાલાને હટાવે તો ધાનાણીને નહીં લડાવીએ. મહત્વનું છે કે બાકી રહેલી ત્રણ બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.... મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક પર આપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.