બહુ ચર્ચિત Rajkot Loksabha બેઠક પર પરષોત્તમ રૂપાલા સામે Congress ઉતારશે પરેશ ધાનાણીને? સાંભળો આ મામલે શું કહ્યું લલિત કગથરાએ?


  • Published By :
  • Published Date : 2024-04-09 15:42:40

જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જેના માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામની જાહેરાત કરે છે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ સૌથી વધારે રસપ્રદ બેઠક રાજકોટ લોકસભા બેઠક છે.. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે તો બીજી તરફ એવી ચર્ચાઓ છે કે કોંગ્રેસ આ બેઠક પર પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે... 

રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી હોઈ શકે છે ઉમેદવાર 

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે પરંતુ અનેક એવી બેઠકો છે જ્યાં ઉમેદવારને લઈ સસ્પેન્સ બન્યો છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાં રાજકોટ, મહેસાણા ,અમદાવાદ પૂર્વ તેમજ નવસારી બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતારી શકે છે. હજી સુધી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે પરેશ ધાનાણી ચૂંટણી નથી લડવાના પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે... 


11 એપ્રિલે કોંગ્રેસ ઉમેદવારના નામની કરી શકે છે જાહેરાત 

એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી જાહેર કર્યા. એવી માહિતી સામે આવી છે કે 11 એપ્રિલ બાદ ઉમેદવારના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે. બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તેની પર તો સૌ કોઈની નજર રહેલી છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે તેની પર બધાની નજર રહેલી છે. આ બેઠક હાલ ચર્ચામાં છે કારણ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ધાનાણીને કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી ટિકીટ આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.   


ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ નથી કર્યા જાહેર!

પરેશ ધાનાણીને લઈ અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે તે ચૂંટણી નહીં લડે.. ચૂંટણી લડવાનો ઈન્કાર તેમણે કરી દીધો હતો તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને ચૂંટણી લડવા માટે મનાવાઈ લેવાયા છે. આ બધા વચ્ચે લલિત કગથરાની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં તે કહી રહ્યા છે કે ભાજપ રૂપાલાને હટાવે તો ધાનાણીને નહીં લડાવીએ. મહત્વનું છે કે બાકી રહેલી ત્રણ બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.... મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક પર આપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે