બહુ ચર્ચિત Rajkot Loksabha બેઠક પર પરષોત્તમ રૂપાલા સામે Congress ઉતારશે પરેશ ધાનાણીને? સાંભળો આ મામલે શું કહ્યું લલિત કગથરાએ?


  • Published By :
  • Published Date : 2024-04-09 15:42:40

જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જેના માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામની જાહેરાત કરે છે તેની પર સૌ કોઈની નજર છે પરંતુ સૌથી વધારે રસપ્રદ બેઠક રાજકોટ લોકસભા બેઠક છે.. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે તો બીજી તરફ એવી ચર્ચાઓ છે કે કોંગ્રેસ આ બેઠક પર પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે... 

રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી હોઈ શકે છે ઉમેદવાર 

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે પરંતુ અનેક એવી બેઠકો છે જ્યાં ઉમેદવારને લઈ સસ્પેન્સ બન્યો છે. ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી તેમાં રાજકોટ, મહેસાણા ,અમદાવાદ પૂર્વ તેમજ નવસારી બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતારી શકે છે. હજી સુધી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે પરેશ ધાનાણી ચૂંટણી નથી લડવાના પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે... 


11 એપ્રિલે કોંગ્રેસ ઉમેદવારના નામની કરી શકે છે જાહેરાત 

એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાતની ચાર બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર નથી જાહેર કર્યા. એવી માહિતી સામે આવી છે કે 11 એપ્રિલ બાદ ઉમેદવારના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે. બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તેની પર તો સૌ કોઈની નજર રહેલી છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે તેની પર બધાની નજર રહેલી છે. આ બેઠક હાલ ચર્ચામાં છે કારણ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ધાનાણીને કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી ટિકીટ આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.   


ચાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ નથી કર્યા જાહેર!

પરેશ ધાનાણીને લઈ અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે તે ચૂંટણી નહીં લડે.. ચૂંટણી લડવાનો ઈન્કાર તેમણે કરી દીધો હતો તેવી માહિતી સામે આવી હતી પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને ચૂંટણી લડવા માટે મનાવાઈ લેવાયા છે. આ બધા વચ્ચે લલિત કગથરાની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં તે કહી રહ્યા છે કે ભાજપ રૂપાલાને હટાવે તો ધાનાણીને નહીં લડાવીએ. મહત્વનું છે કે બાકી રહેલી ત્રણ બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.... મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક પર આપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.