ગુજરાતમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ, ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-13 09:18:30

ગુજરાતભરમાં ફરી એક વખત શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાયણ સમયે ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડતી દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે આવ્યો છે ઉપરાંત ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 

 Makar Sankranti 2021: Know How Is Wind Speed On The Day Of Uttrayan |  ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ઉત્તરાયણના દિવસો દરમિયાન ફૂંકાશે પવન

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહે તેવી ઈચ્છા પતંગ રસીયાઓ રાખતા હોય છે. આ વખતે પતંગ ચગાવતા દરમિયાન પવનનો સાથ મળી રહેશે. 

જાણો કોણ છે અંબાલાલ પટેલ, કેવી રીતે કરે છે હવામાનની આગાહી...

ફરી એક વખત થશે કડકડતી ઠંડીનો અહેસાસ 

થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ રહ્યો હતો. ઓછી ઠંડીને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


ફેબ્રુઆરી સુધી થશે ઠંડીનો અનુભવ

ઠંડીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો  ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉપરાંત વાદળોને કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.