ગુજરાતમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ, ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-13 09:18:30

ગુજરાતભરમાં ફરી એક વખત શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાયણ સમયે ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડતી દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે આવ્યો છે ઉપરાંત ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 

 Makar Sankranti 2021: Know How Is Wind Speed On The Day Of Uttrayan |  ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ઉત્તરાયણના દિવસો દરમિયાન ફૂંકાશે પવન

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહે તેવી ઈચ્છા પતંગ રસીયાઓ રાખતા હોય છે. આ વખતે પતંગ ચગાવતા દરમિયાન પવનનો સાથ મળી રહેશે. 

જાણો કોણ છે અંબાલાલ પટેલ, કેવી રીતે કરે છે હવામાનની આગાહી...

ફરી એક વખત થશે કડકડતી ઠંડીનો અહેસાસ 

થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ રહ્યો હતો. ઓછી ઠંડીને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


ફેબ્રુઆરી સુધી થશે ઠંડીનો અનુભવ

ઠંડીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો  ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉપરાંત વાદળોને કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.