ગુજરાતમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ, ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-13 09:18:30

ગુજરાતભરમાં ફરી એક વખત શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાયણ સમયે ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડતી દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે આવ્યો છે ઉપરાંત ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 

 Makar Sankranti 2021: Know How Is Wind Speed On The Day Of Uttrayan |  ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ઉત્તરાયણના દિવસો દરમિયાન ફૂંકાશે પવન

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહે તેવી ઈચ્છા પતંગ રસીયાઓ રાખતા હોય છે. આ વખતે પતંગ ચગાવતા દરમિયાન પવનનો સાથ મળી રહેશે. 

જાણો કોણ છે અંબાલાલ પટેલ, કેવી રીતે કરે છે હવામાનની આગાહી...

ફરી એક વખત થશે કડકડતી ઠંડીનો અહેસાસ 

થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ રહ્યો હતો. ઓછી ઠંડીને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


ફેબ્રુઆરી સુધી થશે ઠંડીનો અનુભવ

ઠંડીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો  ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉપરાંત વાદળોને કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.