24 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-09-22 13:25:23

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધાઓ ચાલી રહી છે. અનેક રાજ્યોને પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની ભેટ આપી દીધી છે. ત્યારે ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવાની છે. અમદાવાદ-જામનગર વચ્ચે આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવવાની છે. 24 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવવાના છે. એક સાથે 9 વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે. જે 9 ટ્રેનો છે તેમાં ગુજરાતની આ વંદે ભારત ટ્રેન પણ છે. લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ શરૂ કરવામાં આવે છે. ગુજરાતને આ ત્રીજી વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત થતાં રાજકોટ સહિત જામનગર અને અમદાવાદના લોકોને સૌરાષ્ટ્ર તરફ જો મુસાફરી કરવી હશે તો તકલીફ નહીં પડે.



જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 

24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવા જવાની છે. પીએમ મોદી આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે તેના સ્ટોપની વાત કરીએ તો આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદ આવશે, અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચશે. જો ટાઈમ ટેબલની વાત કરીએ તો જામનગરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે, અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવશે. 


આ રહ્યો ટ્રેનનો રૂટ 

અમદાવાદથી ઉપડતી ટ્રેન વિશે વાત કરીએ તો અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે જામનગર રેલવે સ્ટેશન પહોંચશે. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રોજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે.


પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ 

પીએમ મોદી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. અમદાવાદ થી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. પીએમ મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રાયલ ડ્રાઈવ દરમિયાન અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.