24 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-09-22 13:25:23

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધાઓ ચાલી રહી છે. અનેક રાજ્યોને પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની ભેટ આપી દીધી છે. ત્યારે ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવાની છે. અમદાવાદ-જામનગર વચ્ચે આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવવાની છે. 24 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવવાના છે. એક સાથે 9 વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે. જે 9 ટ્રેનો છે તેમાં ગુજરાતની આ વંદે ભારત ટ્રેન પણ છે. લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ શરૂ કરવામાં આવે છે. ગુજરાતને આ ત્રીજી વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત થતાં રાજકોટ સહિત જામનગર અને અમદાવાદના લોકોને સૌરાષ્ટ્ર તરફ જો મુસાફરી કરવી હશે તો તકલીફ નહીં પડે.



જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 

24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવા જવાની છે. પીએમ મોદી આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે તેના સ્ટોપની વાત કરીએ તો આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદ આવશે, અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચશે. જો ટાઈમ ટેબલની વાત કરીએ તો જામનગરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે, અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવશે. 


આ રહ્યો ટ્રેનનો રૂટ 

અમદાવાદથી ઉપડતી ટ્રેન વિશે વાત કરીએ તો અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે જામનગર રેલવે સ્ટેશન પહોંચશે. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રોજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે.


પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ 

પીએમ મોદી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. અમદાવાદ થી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. પીએમ મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રાયલ ડ્રાઈવ દરમિયાન અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.