24 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-09-22 13:25:23

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધાઓ ચાલી રહી છે. અનેક રાજ્યોને પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની ભેટ આપી દીધી છે. ત્યારે ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવાની છે. અમદાવાદ-જામનગર વચ્ચે આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવવાની છે. 24 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવવાના છે. એક સાથે 9 વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે. જે 9 ટ્રેનો છે તેમાં ગુજરાતની આ વંદે ભારત ટ્રેન પણ છે. લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ શરૂ કરવામાં આવે છે. ગુજરાતને આ ત્રીજી વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત થતાં રાજકોટ સહિત જામનગર અને અમદાવાદના લોકોને સૌરાષ્ટ્ર તરફ જો મુસાફરી કરવી હશે તો તકલીફ નહીં પડે.



જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 

24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવા જવાની છે. પીએમ મોદી આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે તેના સ્ટોપની વાત કરીએ તો આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદ આવશે, અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચશે. જો ટાઈમ ટેબલની વાત કરીએ તો જામનગરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે, અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવશે. 


આ રહ્યો ટ્રેનનો રૂટ 

અમદાવાદથી ઉપડતી ટ્રેન વિશે વાત કરીએ તો અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે જામનગર રેલવે સ્ટેશન પહોંચશે. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રોજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે.


પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ 

પીએમ મોદી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. અમદાવાદ થી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. પીએમ મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રાયલ ડ્રાઈવ દરમિયાન અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી