24 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-09-22 13:25:23

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધાઓ ચાલી રહી છે. અનેક રાજ્યોને પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની ભેટ આપી દીધી છે. ત્યારે ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવાની છે. અમદાવાદ-જામનગર વચ્ચે આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવવાની છે. 24 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવવાના છે. એક સાથે 9 વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે. જે 9 ટ્રેનો છે તેમાં ગુજરાતની આ વંદે ભારત ટ્રેન પણ છે. લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ શરૂ કરવામાં આવે છે. ગુજરાતને આ ત્રીજી વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત થતાં રાજકોટ સહિત જામનગર અને અમદાવાદના લોકોને સૌરાષ્ટ્ર તરફ જો મુસાફરી કરવી હશે તો તકલીફ નહીં પડે.



જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 

24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવા જવાની છે. પીએમ મોદી આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે તેના સ્ટોપની વાત કરીએ તો આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદ આવશે, અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચશે. જો ટાઈમ ટેબલની વાત કરીએ તો જામનગરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે, અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવશે. 


આ રહ્યો ટ્રેનનો રૂટ 

અમદાવાદથી ઉપડતી ટ્રેન વિશે વાત કરીએ તો અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે જામનગર રેલવે સ્ટેશન પહોંચશે. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રોજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે.


પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ 

પીએમ મોદી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. અમદાવાદ થી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. પીએમ મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રાયલ ડ્રાઈવ દરમિયાન અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.