Gujarat : હમણાં નહીં મળે માવઠાથી મુક્તિ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે અને Ambalal Kakaએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-30 10:00:09

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી ત્યારે તો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાતાવરણનો મિજાજ પણ પ્રતિદિન બદલાઈ રહ્યો છે. રવિવારથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણ અનિયમિત થઈ ગયું છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

રાજકોટ, કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ |  Gujarat News in Gujarati

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


એક સાથે ત્રણેય ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ! 

આવતી કાલથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. એક સાથે બેવડી ઋતુનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવું વાતાવરણ થઈ ગયું છે. લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન છે કારણ કે એક તરફ ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં અત્યાર સુધી કુલ મોસમનો સરેરાશ 34.50 ટકા વરસાદ નોંધાયો

આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો પહેલી ડિસેમ્બર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ કાકાએ પણ માવઠાને લઈ કરી આગાહી 

તે ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ આવું જ કહે છે. માવઠાથી છુટકારો નહીં મળે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. મહત્વનું છે કે માવઠાને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.