Gujarat : હમણાં નહીં મળે માવઠાથી મુક્તિ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે અને Ambalal Kakaએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-30 10:00:09

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી ત્યારે તો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાતાવરણનો મિજાજ પણ પ્રતિદિન બદલાઈ રહ્યો છે. રવિવારથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણ અનિયમિત થઈ ગયું છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

રાજકોટ, કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ |  Gujarat News in Gujarati

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


એક સાથે ત્રણેય ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ! 

આવતી કાલથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. એક સાથે બેવડી ઋતુનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવું વાતાવરણ થઈ ગયું છે. લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન છે કારણ કે એક તરફ ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં અત્યાર સુધી કુલ મોસમનો સરેરાશ 34.50 ટકા વરસાદ નોંધાયો

આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો પહેલી ડિસેમ્બર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ કાકાએ પણ માવઠાને લઈ કરી આગાહી 

તે ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ આવું જ કહે છે. માવઠાથી છુટકારો નહીં મળે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. મહત્વનું છે કે માવઠાને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.