Gujarat : હમણાં નહીં મળે માવઠાથી મુક્તિ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે અને Ambalal Kakaએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-30 10:00:09

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી ત્યારે તો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાતાવરણનો મિજાજ પણ પ્રતિદિન બદલાઈ રહ્યો છે. રવિવારથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણ અનિયમિત થઈ ગયું છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

રાજકોટ, કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ |  Gujarat News in Gujarati

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


એક સાથે ત્રણેય ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ! 

આવતી કાલથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. એક સાથે બેવડી ઋતુનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવું વાતાવરણ થઈ ગયું છે. લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન છે કારણ કે એક તરફ ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં અત્યાર સુધી કુલ મોસમનો સરેરાશ 34.50 ટકા વરસાદ નોંધાયો

આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો પહેલી ડિસેમ્બર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ કાકાએ પણ માવઠાને લઈ કરી આગાહી 

તે ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ આવું જ કહે છે. માવઠાથી છુટકારો નહીં મળે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. મહત્વનું છે કે માવઠાને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.