Gujaratના યુવાનનું અકસ્માતને કારણે થયું Americaમાં મૃત્યુ, મોતનું કારણ સાંભળી તમે હચમચી જશો...


  • Published By :
  • Published Date : 2023-08-04 13:14:11

ભારતીયોને વિદેશમાં જઈ વસવાનો શોખ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક પરિવારો એવા હશે જેના પરિવારના સભ્યો વિદેશમાં વસતા હશે. અનેક લોકો વસવાટ માટે વિદેશ જતા હોય છે તો અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે પાટણનો વતની અને મૂળ વડોદરામાં રહેતા યુવક અમેરિકા ગયો હતો ત્યાં તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. પ્રવાસ દરમિયાન થયેલી ગોઝારી ઘટનામાં દર્શિલ ઠક્કર નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની વાત કરીએ તો યુવક ટેક્સાસના હ્યુસ્ટનમાં રેડ સિગ્નલ હોવાને કારણે રોડ ક્રોસ કરવા લાગ્યો પરંતુ તે રોડ ક્રોસ કરે તે પહેલા જ સિગ્નલ ગ્રીન થઈ ગયું અને ગાડીઓ તેના પર ચઢી ગઈ અને તેનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું.     



અમેરિકામાં થયો ગુજરાતીનો અકસ્માત 

ઘણા સમયથી વિદેશ જઈ વસવાનો ક્રેઝ ભારતીયોમાં અને તેમાં પણ ખાસ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. કોઈ લોકો ત્યાં વસવા માટે જાય છે તો કોઈ લોકો ત્યાં ફરવા જાય છે. વિદેશમાં ગયેલા લોકો અનેક વખત અકસ્માતનો ભોગ બની જતા હોય છે. અકસ્માતોની સંખ્યામાં એમ પણ ધરખમ વધારો જોવા મળે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટનામાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા ત્યારે આવો જ એક અકસ્માત અમેરિકામાં બન્યો છે. 


અમેરિકામાં જ કરાશે દર્શિલના અંતિમસંસ્કાર 

દર્શિલ ઠક્કર વિઝીટર વિઝા પર ફરવા માટે અમેરિકા પોતાના મિત્રો સાથે ગયો હતો પરંતુ તે ત્યાં અકસ્માતનો ભોગ બની ગયો અને પોતાનું જીવન તેણે ગુમાવવું પડ્યું. 31  જુલાઈના રોજ અકસ્માત સર્જાયો હતો. એ અકસ્માત એટલો ગંભીર હતો કે તેનો મૃતદેહ ભારત લાવી શકાય તેવી હાલતમાં નથી. મળતી માહિતી અનુસાર અમેરિકામાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પરિવારને અમેરિકા લઈ જવા માગતો હતો દર્શિલ ઠક્કર! 

દર્શિલ સાથે તેના પરિવારના સભ્યો સંપર્કમાં હતા. જ્યારે જ્યારે પરિવારના સભ્યો સાથે વાત થતી ત્યારે ત્યારે તે કહેતો હતો કે તમારે પણ અમેરિકા ફરવા આવવું જોઈએ. તેના પિતાને તેણે કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે તમે અહીં ફરવા આવો. મળતી માહિતી અનુસાર જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે તે પરિવારના સભ્ય સાથે ફોન પર વાત કરી રહ્યો છે. અચાનક તેનો ફોન પડી ગયો અને સંપર્ક તૂટી ગયો. અને પછી દર્શિલ સાથે વાત થઈ ન હતી. 


અજાણ્યા વ્યક્તિએ અકસ્માત અંગે દર્શિલના પરિવારને જાણ કરી!

પરંતુ વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન રિસીવ કર્યો અને કહ્યું કે તેનો(દર્શિલ)નો અકસ્માત થઈ ગયો છે. આ અકસ્માતની જાણ દર્શિલના મિત્રને કરવામાં આવી અને તે ઘટનાસ્થળ પર પહોંચ્યો અને દર્શિલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત થયેલા દર્શિલને હોસ્પિટલમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. મળતી માહિતી અનુસાર રાજ્યસભાના સાંસદ તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પીએમઓમાંથી માહિતી મંગાવી અને દર્શિલના મૃતદેહને ભારત લાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ પોસ્ટમોર્ટમ બાદ જાણ થઈ કે મૃતદેહને ભારત લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈ દર્શિલનો અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે, 


અકસ્માતમાં અનેક પરિવાર વિખેરાયા છે... 

મહત્વનું છે અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે. અનેક પરિવારો વિખેરાઈ ગયા છે અકસ્માતોમાં. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. દર્શિલના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.