ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે નોમિનેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 19:56:42

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને ભારત તરફથી દર વર્ષે ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવતી ફિલ્મોમાં આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે. 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતના સબમિશન તરીકે રજુ કરવામાં આવશે. વિશ્વભરના ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવેલી આ ફિલ્મે એસએસ રાજામૌલીની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.


ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતમાંથી સત્તાવાર એન્ટ્રી માટે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ની પસંદગી કરી હોવાની જાહેરાત કરી હતી. 'છેલ્લો શો'ફિલ્મના ડિરેક્ટર પાન નલિન છે.છેલ્લો શો ફિલ્મને પાન નલિન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતાએ અભિનય કર્યો છે. આ ફિલ્મનું પ્રીમિયર 2021માં 'ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ'માં થયું હતું. ઑક્ટોબર 2021માં, છેલ્લો શો ફિલ્મે 66માં 'વૅલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં ગોલ્ડન સ્પાઇક એવોર્ડ પણ જીત્યો હતો. જો કે, આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ  કરવામાં આવી નથી. 


ફિલ્મ ‘છેલ્લો શૉ’ના ડિરેક્ટરે ટ્વીટ કરી આભાર માન્યો


ડિરેક્ટર પાન નલિને પોતાની ફિલ્મ છેલ્લો શૉને ઑસ્કરમાં ભારત તરફથી સત્તાવાર નોમિનેશન પર પ્રતિક્રિયા આપતાં ટ્વીટ પર ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા તેમજ FFIની જ્યૂરીનો આભાર માન્યો છે.


ફિલ્મની કહાની શું છે?


આ ફિલ્મની કથાની પૃષ્ઠભૂમિ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનું એક આંતરિયાળ ગામડું છે. વાર્તામાં એક 9 વર્ષનો છોકરો છે અને તેનું નામ સમય છે. સમય ફિલ્મ જોવા માટે સખત મહેનત કરે છે. આ છોકરો ફિલ્મ જોવા માટે શાળાએ પણ જતો નથી. આ દરમિયાન તે ફિલ્મ થિયેટરના સંચાલક સાથે દોસ્તી કરીને ફિલ્મ જોવા માટે સંચાલકને ટિફિન પણ મોકલાવે છે. બાળક ગરમીઓમાં પ્રોજેક્શન બૂથથી ફિલ્મો જુએ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.