પદ્મશ્રી વિજેતા ભીખુદાન ગઢવીનો આજે જન્મદિવસ:ગાંધીગ્રામની ગરબીથી લોકડાયરા સુધીની સફરનો પદ્મશ્રી મુકામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:37:46

STORY BY - BHAVIK SUDRA


- ગાંધીગ્રામની ગરબીથી લોકડાયરા સુધીની સફરનો પદ્મશ્રી મુકામ
- ગામનાં અભણ લોકોનાં સાહિત્યની નોંધ ભારત સરકારે લીધી હતી 
- પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે જન્મેલા ભીખુદાનભાઇ ગઢવી એટલે ગુજરાતી લોકસાહિત્યનાં બીગ બી


કોણ છે ભિખુદાન ગઢવી?

ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે

चारणी साहित्य : भीखुदानभाई गढवी नो जन्म दिवस

ભીખુદાન ગઢવી ફાઇલ તસવીર 

ભીખુદાનભાઇ ગઢવીની લોક સાહિત્યકાર તરીકેની ડાયરા સફર શરૂ થઇ એ પહેલાં તેઓ જૂનાગઢનાં ગાંધીગ્રામની ગરબીમાં ગરબા ગાતા. જૂનાગઢનાં વંથલી રોડ પર આવેલી રાધાકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ભીખુદાનભાઇ એટલે જાણે કે, લોકસાહિત્યનો પ્રાણ. 19 સપ્ટે. 1948નાં રોજ હાલ પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે તેમનો જન્મ થયો હતો. એ વખતે કુતિયાણા તાલુકો જૂનાગઢ સ્ટેટનોજ એક ભાગ હતો. આરઝી હકૂમતે નવાબને હાંકી કાઢી સત્તાનાં સુત્રો સંભાળ્યા હતા.

Bhikhudan gadhavi bhajan/song lyrics collection & sahitya collection

ભિખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા 

તેમનું પૈતૃક ગામે કેશોદ તાલુકાનું માણેકવાડા. જે હાલ જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વસેલું છે. તેમણે ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ કરેલો. માત્ર 10 વર્ષની વયથીજ તેમને ચારણી પરંપરા મુજબ ગાવાનો શોખ. ચારણનાં દિકરાને ગાતાં તો આવડવુંજ જોઇએ. એવી દ્રઢ માન્યતા એ વખતે પ્રવર્તતી.

કેશોદ નજીકનાં માણેકવાડા માલબાપા મંદિરે આ વર્ષે શ્રાવણ માસનો મેળો રદ |  Shravan Mass fair canceled at Manekwada Malbapa temple near Keshod this  year - Divya Bhaskar

કેશોદ જુનાગઢ રોડ પર આવેલ માણેકવાડા ગામનું માલબાપનું ભવ્ય મંદિર 

Image

ભિખુદાન ગઢવીના પત્ની સ્વ.ગજરા બાની ફાઇલ તસવીર 

ભિખુદાન ગઢવીના પત્નીનું ટૂંકી બિમારી બાદ 27-09-2020ના રાત્રે 69 વર્ષની વયે અવસાન થયુ હતુ. લોક લાડીલા કલાકારના પત્નીનું નિધન થતાં તેમને ફેન્સમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ભિખુદાન ગઢવીના પત્નીનું નામ ગજરા બા હતું. પદ્મશ્રી સુધીની સફળતા પાછળ ગજરા બાનો ખુબ મોટો હાથ હતો. 69 વર્ષની વયે ગજરાબાનું અવસાન થયુ. 

સ્વ. ગજરા બાની ઉંમર 69 વર્ષ હતી. તેમનું પિયર અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની સનાળી ગામ હતું. 1970ના વર્ષમાં તેમના લગ્ન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે થયા હતા. તેઓ ઘરનું સંચાલન કરતા હતા. ભીખુદાન ગઢવીની સફળતા પાછળ તેમનો સિંહફાળો રહેલો છે.

લોક લોકસાહિત્ય કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવા બદલ આનંદીબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા

ભીખુદાનભાઇ કહે છે, મારા જૂના મિત્રો મને સાંભળતા. તેના પરથી સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. 20 વર્ષની વયે સ્ટેજ પર તેમની એક કલાકાર તરીકે એન્ટ્રી થઇ. બસ, ત્યારથી લઇને આજ સુધી તેઓ લોકપ્રિયતા અને કલાપ્રવિણતાનાં એક પછી એક શિખરો સર કરતાજ રહ્યા. તેમને આપણે લોક ડાયરાનાં બીગ બી કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ભીખુદાનભાઇને પોતાનાં કુળદેવી પર ખુબજ આસ્થા છે. તેઓ ખુબજ સાદું જીવન જીવે છે. કપડા-ખોરાક ખુબજ સાદા. તેઓ કહે છે, મને સાધુ-સંતો અને રાજપુરૂષો પાસેથી ખુબજ શીખવા મળ્યું છે. નવરાશની પળોમાં ઇશ્વર સ્મરણ કરવું એ તેમની પ્રિય પ્રવૃત્તિ. કલા સાધનાએ જ તેમને આ ઉંચાઇ બક્ષી છે એમ તેઓ ભારપૂર્વક જણાવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.