Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - જો દોસ્ત તું ના હોત...


  • Published By :
  • Published Date : 2024-08-17 18:37:21

દરેકના જીવનમાં દોસ્તનું મહત્વ અનેરૂં હોય છે.. જો દોસ્ત ના હોય તો જીવન અધૂંરૂ લાગે છે.. જે વાતો આપણે માતા પિતા સાથે નથી કરી શકતા તે વાત આપણે બિંદાસ રીતે મિત્રને કહી શકીએ છીએ.. નાનપણમાં આપણે તેની સાથે રમત રમતા હતા. નાની નાની વાતોમાં આપણે તેને ખીજવીએ, રિસાય જાય તો આપણે તેને મનાવીએ.. મોડી રાત્રે આપણે તેમની સાથે વાત કરી શકીએ.. રિલેશનશીપમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેને શેર કરી શકીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકુકડી અને પકડદાવની એ રમત


જો દોસ્ત તું ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને

તે લેશન પુરૂ કરવાની હરીફાઈ


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત?


જો દોસ્ત તું ના હોત,

કોણે ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને ચીડવત?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ જીવનનાં પાઠનું શું થાત?

જો દોસ્ત તું ના હોત...



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.