Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - જો દોસ્ત તું ના હોત...


  • Published By :
  • Published Date : 2024-08-17 18:37:21

દરેકના જીવનમાં દોસ્તનું મહત્વ અનેરૂં હોય છે.. જો દોસ્ત ના હોય તો જીવન અધૂંરૂ લાગે છે.. જે વાતો આપણે માતા પિતા સાથે નથી કરી શકતા તે વાત આપણે બિંદાસ રીતે મિત્રને કહી શકીએ છીએ.. નાનપણમાં આપણે તેની સાથે રમત રમતા હતા. નાની નાની વાતોમાં આપણે તેને ખીજવીએ, રિસાય જાય તો આપણે તેને મનાવીએ.. મોડી રાત્રે આપણે તેમની સાથે વાત કરી શકીએ.. રિલેશનશીપમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેને શેર કરી શકીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકુકડી અને પકડદાવની એ રમત


જો દોસ્ત તું ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને

તે લેશન પુરૂ કરવાની હરીફાઈ


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત?


જો દોસ્ત તું ના હોત,

કોણે ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને ચીડવત?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ જીવનનાં પાઠનું શું થાત?

જો દોસ્ત તું ના હોત...



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.