Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - જો દોસ્ત તું ના હોત...


  • Published By :
  • Published Date : 2024-08-17 18:37:21

દરેકના જીવનમાં દોસ્તનું મહત્વ અનેરૂં હોય છે.. જો દોસ્ત ના હોય તો જીવન અધૂંરૂ લાગે છે.. જે વાતો આપણે માતા પિતા સાથે નથી કરી શકતા તે વાત આપણે બિંદાસ રીતે મિત્રને કહી શકીએ છીએ.. નાનપણમાં આપણે તેની સાથે રમત રમતા હતા. નાની નાની વાતોમાં આપણે તેને ખીજવીએ, રિસાય જાય તો આપણે તેને મનાવીએ.. મોડી રાત્રે આપણે તેમની સાથે વાત કરી શકીએ.. રિલેશનશીપમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેને શેર કરી શકીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકુકડી અને પકડદાવની એ રમત


જો દોસ્ત તું ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને

તે લેશન પુરૂ કરવાની હરીફાઈ


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત?


જો દોસ્ત તું ના હોત,

કોણે ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને ચીડવત?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ જીવનનાં પાઠનું શું થાત?

જો દોસ્ત તું ના હોત...



ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.