Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - જો દોસ્ત તું ના હોત...


  • Published By :
  • Published Date : 2024-08-17 18:37:21

દરેકના જીવનમાં દોસ્તનું મહત્વ અનેરૂં હોય છે.. જો દોસ્ત ના હોય તો જીવન અધૂંરૂ લાગે છે.. જે વાતો આપણે માતા પિતા સાથે નથી કરી શકતા તે વાત આપણે બિંદાસ રીતે મિત્રને કહી શકીએ છીએ.. નાનપણમાં આપણે તેની સાથે રમત રમતા હતા. નાની નાની વાતોમાં આપણે તેને ખીજવીએ, રિસાય જાય તો આપણે તેને મનાવીએ.. મોડી રાત્રે આપણે તેમની સાથે વાત કરી શકીએ.. રિલેશનશીપમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તેને શેર કરી શકીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકુકડી અને પકડદાવની એ રમત


જો દોસ્ત તું ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને

તે લેશન પુરૂ કરવાની હરીફાઈ


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત?


જો દોસ્ત તું ના હોત,

કોણે ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને ચીડવત?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ જીવનનાં પાઠનું શું થાત?

જો દોસ્ત તું ના હોત...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.