Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણને સમર્પિત રચના - હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે


  • Published By :
  • Published Date : 2024-01-30 16:27:46

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે અનેક માતા પોતાના સંતાનને કૃષ્ણ, કાન્હો કહીને બોલાવતી હોય છે. કૃષ્ણ એટલે આકર્ષણ.. કૃષ્ણના પ્રેમમાં અનેક ભક્તો ભાવ વિભોર જોવા મળતા હોય છે. ભગવાન રામને મર્યાદા પુરૂષોત્તમ કહેવામાં આવે છે તો કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ કહેવામાં આવે છે.  64 કળાના સ્વામી શ્રી કૃષ્ણને માનવામાં આવે છે. કૃષ્ણને સારા રાજનૈતિક ગણવામાં આવે છે. કૃષ્ણ એવા ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે છે અને જે સુદર્શન ચક્ર પણ ચલાવી શકે. 


હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે

સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. કૃષ્ણ ભગવાનને ધરતી પર ફરી આવવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. રાજનીતિના પાઠ ફરીથી ભણાવા માટે ધરતી પર આવવું પડશે. મિત્રતાના પાઠ શીખવા માટે ધરતી પર આવવું પડશે. 


હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે,

રાજનીતિના પાઠ તારે ફરી શીખવા પડશે..


હે નંદના લાલા તારે ફરી ધરતી પર આવવું પડશે,

પ્રેમની પરીભાષા તારે ફરી શીખવી પડશે.


હે વસુદેવ પુત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે,

કળયુગ કેરી દુનિયામાં તારે ફરી લીલાં કરવી પડશે.


હે જશોદાનાં જાયા તારે ફરી ધરતી પર આવવું પડશે,

માની મમતા શું છે એ તારે ફરી શીખવું પડશે.


હે અર્જુનનાં મિત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે

મિત્રતાની વાત તારે ફરી શીખવી પડશે.


હે દ્રોપદીનાં સખા તારે ફરી ધરતી પર આવવું પડશે

કળયુગ કેરી દુનિયાને ચીર હરણ કરતા રોકવા પડશે.

- વિપુલ પરમાર 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.