Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી...


  • Published By :
  • Published Date : 2024-07-02 17:13:38

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલશે.. રંગબેરંગી ફૂલો આવશે, જમીન હરિયાળી બની જશે. વરસાદની શરૂઆત થતા જ મોરનો ટહુકો સાંભળવા મળે છે. મન મોરની જેમ ઝુમી ઉઠે છે..વરસાદના પાણી સાથે રમવાની પણ એક અલગ જ મજા છે.. ગમે તેટલું કેમ ના પલળીએ પરંતુ મન તો નથી જ ભરાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,

રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે..


વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીજાઈ જવું છે

મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝુમી જવું છે


વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી.

મન મૂકીને, સંસારના દરેક દુ:ખ દર્દને ભૂલીને

જિંદગીની બધી જ યાદોને વાગોળતા રહેવું છે.


વરસાદના પાણી સાથે રમવની એક અલગ જ મજા છે સાહેબ,

તન પણ ભીંજાઈ જાય ને મન પણ

ક્યારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ના થાયને!



બસ ત્યારે 

આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,

આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરી દે છે


વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે

મન થાય કે બસ ભીંજાયા કરૂંને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરૂં.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"