Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી...


  • Published By :
  • Published Date : 2024-07-02 17:13:38

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલશે.. રંગબેરંગી ફૂલો આવશે, જમીન હરિયાળી બની જશે. વરસાદની શરૂઆત થતા જ મોરનો ટહુકો સાંભળવા મળે છે. મન મોરની જેમ ઝુમી ઉઠે છે..વરસાદના પાણી સાથે રમવાની પણ એક અલગ જ મજા છે.. ગમે તેટલું કેમ ના પલળીએ પરંતુ મન તો નથી જ ભરાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,

રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે..


વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીજાઈ જવું છે

મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝુમી જવું છે


વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી.

મન મૂકીને, સંસારના દરેક દુ:ખ દર્દને ભૂલીને

જિંદગીની બધી જ યાદોને વાગોળતા રહેવું છે.


વરસાદના પાણી સાથે રમવની એક અલગ જ મજા છે સાહેબ,

તન પણ ભીંજાઈ જાય ને મન પણ

ક્યારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ના થાયને!



બસ ત્યારે 

આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,

આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરી દે છે


વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે

મન થાય કે બસ ભીંજાયા કરૂંને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરૂં.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.