Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી...


  • Published By :
  • Published Date : 2024-07-02 17:13:38

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલશે.. રંગબેરંગી ફૂલો આવશે, જમીન હરિયાળી બની જશે. વરસાદની શરૂઆત થતા જ મોરનો ટહુકો સાંભળવા મળે છે. મન મોરની જેમ ઝુમી ઉઠે છે..વરસાદના પાણી સાથે રમવાની પણ એક અલગ જ મજા છે.. ગમે તેટલું કેમ ના પલળીએ પરંતુ મન તો નથી જ ભરાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,

રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે..


વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીજાઈ જવું છે

મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝુમી જવું છે


વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી.

મન મૂકીને, સંસારના દરેક દુ:ખ દર્દને ભૂલીને

જિંદગીની બધી જ યાદોને વાગોળતા રહેવું છે.


વરસાદના પાણી સાથે રમવની એક અલગ જ મજા છે સાહેબ,

તન પણ ભીંજાઈ જાય ને મન પણ

ક્યારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ના થાયને!



બસ ત્યારે 

આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,

આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરી દે છે


વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે

મન થાય કે બસ ભીંજાયા કરૂંને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરૂં.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.