Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના- નાનપણમાં સાથે જમીએ...


  • Published By :
  • Published Date : 2024-08-19 17:19:52

આજે રક્ષાબંધનનો તહેવાર છે.. ભાઈ બહેનનો તહેવાર છે.. ભાઈ બહેન ગમે તેટલું કેમ ના ઝઘડે પરંતુ એક બીજાથી અલગ નથી રહી શકતા. એક જ્યારે દુ:ખી હોય ત્યારે તેનું દુ:ખ જોઈ તે પણ દુ:ખી થઈ જાય છે.. માતા પિતા સિવાય ભાઈ બહેન જ એવા હોય છે જેમને આપણે પોતાના કહી શકીએ છીએ. એવા લોકો જે આપણી પ્રગતિ જોઈ દિલથી ખુશ થાય, આગળ વધીએ તો પણ તે રાજી રાજી થઈ જાય. એકબીજાને ભાઈ બહેન ચીડવે પરંતુ જ્યારે મમ્મી કે પપ્પા કોઈને બોલે તો તેના પડખે આવીને ઉભા રહે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા..



નાનપણમાં સાથે જમીએ

એકબીજાના વાળ ખેંચીએ

રમકડાં માટે ઝગડીએ

એવો ભાઈ-બહેનનો પ્રેમ


નિશાળમાં હોઈએ ત્યારે

ટીવી રિમોટ માટે ઝગડીએ

એકબીજાને ચીડવીએ 

મમ્મીને જઈને ફરિયાદ કરીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


કોલેજમાં આવીએ ત્યારે

એકબીજાની ઉતારી પાડીએ

એકબીજાને ભણવામાં મદદ કરીએ

એકબીજાની છાની વાતો ઉઘાડી પાડવાની ધમકી આપીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


લગ્ન પછી બેઉ નાનપણના દિવસોને યાદ કરીએ

જુના દિવસો યાદ કરીને હસીએ

અને એકબીજાને મળવાની રાહ જોઈએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે

ભાઈ માટે રક્ષા માગે

ને ભાઈ બહેનને કાંઈ ગિફ્ટ જ ના આપે

એવો ભાઈ બહેનનો પ્રેમ


ભાઈ બહેન માટે જીવ પણ આપે

એની ઢાલ બનીને ઉભો રહે

અને ક્યારેક ખીજાઈ પણ લે

એવો સુંદર મજાનો ભાઈ બહેનનો પ્રેમ



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.