Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના- નાનપણમાં સાથે જમીએ...


  • Published By :
  • Published Date : 2024-08-19 17:19:52

આજે રક્ષાબંધનનો તહેવાર છે.. ભાઈ બહેનનો તહેવાર છે.. ભાઈ બહેન ગમે તેટલું કેમ ના ઝઘડે પરંતુ એક બીજાથી અલગ નથી રહી શકતા. એક જ્યારે દુ:ખી હોય ત્યારે તેનું દુ:ખ જોઈ તે પણ દુ:ખી થઈ જાય છે.. માતા પિતા સિવાય ભાઈ બહેન જ એવા હોય છે જેમને આપણે પોતાના કહી શકીએ છીએ. એવા લોકો જે આપણી પ્રગતિ જોઈ દિલથી ખુશ થાય, આગળ વધીએ તો પણ તે રાજી રાજી થઈ જાય. એકબીજાને ભાઈ બહેન ચીડવે પરંતુ જ્યારે મમ્મી કે પપ્પા કોઈને બોલે તો તેના પડખે આવીને ઉભા રહે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા..



નાનપણમાં સાથે જમીએ

એકબીજાના વાળ ખેંચીએ

રમકડાં માટે ઝગડીએ

એવો ભાઈ-બહેનનો પ્રેમ


નિશાળમાં હોઈએ ત્યારે

ટીવી રિમોટ માટે ઝગડીએ

એકબીજાને ચીડવીએ 

મમ્મીને જઈને ફરિયાદ કરીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


કોલેજમાં આવીએ ત્યારે

એકબીજાની ઉતારી પાડીએ

એકબીજાને ભણવામાં મદદ કરીએ

એકબીજાની છાની વાતો ઉઘાડી પાડવાની ધમકી આપીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


લગ્ન પછી બેઉ નાનપણના દિવસોને યાદ કરીએ

જુના દિવસો યાદ કરીને હસીએ

અને એકબીજાને મળવાની રાહ જોઈએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે

ભાઈ માટે રક્ષા માગે

ને ભાઈ બહેનને કાંઈ ગિફ્ટ જ ના આપે

એવો ભાઈ બહેનનો પ્રેમ


ભાઈ બહેન માટે જીવ પણ આપે

એની ઢાલ બનીને ઉભો રહે

અને ક્યારેક ખીજાઈ પણ લે

એવો સુંદર મજાનો ભાઈ બહેનનો પ્રેમ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.