Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના- નાનપણમાં સાથે જમીએ...


  • Published By :
  • Published Date : 2024-08-19 17:19:52

આજે રક્ષાબંધનનો તહેવાર છે.. ભાઈ બહેનનો તહેવાર છે.. ભાઈ બહેન ગમે તેટલું કેમ ના ઝઘડે પરંતુ એક બીજાથી અલગ નથી રહી શકતા. એક જ્યારે દુ:ખી હોય ત્યારે તેનું દુ:ખ જોઈ તે પણ દુ:ખી થઈ જાય છે.. માતા પિતા સિવાય ભાઈ બહેન જ એવા હોય છે જેમને આપણે પોતાના કહી શકીએ છીએ. એવા લોકો જે આપણી પ્રગતિ જોઈ દિલથી ખુશ થાય, આગળ વધીએ તો પણ તે રાજી રાજી થઈ જાય. એકબીજાને ભાઈ બહેન ચીડવે પરંતુ જ્યારે મમ્મી કે પપ્પા કોઈને બોલે તો તેના પડખે આવીને ઉભા રહે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભાઈ બહેનના પ્રેમને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા..



નાનપણમાં સાથે જમીએ

એકબીજાના વાળ ખેંચીએ

રમકડાં માટે ઝગડીએ

એવો ભાઈ-બહેનનો પ્રેમ


નિશાળમાં હોઈએ ત્યારે

ટીવી રિમોટ માટે ઝગડીએ

એકબીજાને ચીડવીએ 

મમ્મીને જઈને ફરિયાદ કરીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


કોલેજમાં આવીએ ત્યારે

એકબીજાની ઉતારી પાડીએ

એકબીજાને ભણવામાં મદદ કરીએ

એકબીજાની છાની વાતો ઉઘાડી પાડવાની ધમકી આપીએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


લગ્ન પછી બેઉ નાનપણના દિવસોને યાદ કરીએ

જુના દિવસો યાદ કરીને હસીએ

અને એકબીજાને મળવાની રાહ જોઈએ

એવો ભાઈ બહેનનો પ્રેમ


રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે

ભાઈ માટે રક્ષા માગે

ને ભાઈ બહેનને કાંઈ ગિફ્ટ જ ના આપે

એવો ભાઈ બહેનનો પ્રેમ


ભાઈ બહેન માટે જીવ પણ આપે

એની ઢાલ બનીને ઉભો રહે

અને ક્યારેક ખીજાઈ પણ લે

એવો સુંદર મજાનો ભાઈ બહેનનો પ્રેમ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.