Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના - ક્ષણને વધાવજે..


  • Published By :
  • Published Date : 2024-09-25 15:25:55

અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોજો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.. ઘણા લોકો એવું પણ કહે છે કે સમય નથી.. પરંતુ અનેક વખત આપણે પોતાએ અનુભવ્યું હશે કે જે લોકો પાસે આખો દિવસ બીઝી હોય છે તેમની પાસે સમય હોય છે પરંતુ જે નવરા હોય છે તેમની પાસે સમય નથી હોતો. જીવનમાં તકલીફો તો રહેવાની છે પરંતુ તેનો સામનો આપણે કેવી રીતે કરીએ છીએ તેની પર નિર્ધાર રહેલો છે.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  




કહે જે કે સમય જ ક્યાં છે

નવરોએ જન છે કાયમનો 

ઉદ્યમીએ સાચો જે જીવ છે ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી


ભૂલેલો પણ નીકળી જાય છે ભવ પાર

ચૂકેલો પણ નીકળી જાય છે અચૂક એક વાર

જ્યારે જાણે છે જીવનની એ ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી


તકલીફ તો જીવનનો એક છે મુકામ 

ટેવાવું પડશે જીરાવવા એ બધું તમામ

મજા તો ત્યારે જઆવે જ્યારે પામી લ્યો છો ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જીંદગી



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.