Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને સમર્પિત રચના - આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી...


  • Published By :
  • Published Date : 2024-08-15 17:59:28

આજે 15મી ઓગસ્ટ છે.. 1947માં ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો હતો.. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનની કુરબાની આપી હતી.. ઘણા સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી હતી.. આઝાદીના અમૃત કાળની આપણે ઉજવણી કરી રહ્યા છીએ.. આઝાદ તો આપણે થઈ ગયા પરંતુ આજે પણ અનેક એવી સમસ્યાઓ છે જેની વાત કરવી જરૂરી બની છે..સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને લગતી રચનાને... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...


ગુલામીના દિવસોમાં તરફડતું હિંદુસ્તાન

આઝાદીનાં દિવસોમાં રઝળતું હિંદુસ્તાન


ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી

આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી


ગયા વર્ષોના દિવસોમાં રંગ ભેદભાવ હતો

આજની આઝાદીનાં ઉંચ નીચનો ભેદભાવ જોયો


ગુલામીનાં દિવસોમાં એકતાથી આઝાદી મેળવી

આજના આઝાદીના દિવસોમાં એકતા ગીરવે મૂકી દીધી


ગુલામીના દિવસોમાં ભૂખને પણ ભૂંડી માની

આઝાગીના દિવસોમાં ભરપેટે પણ ભૂખ લાગી


ગુલામીના દિવસોમાં શિક્ષણ વિદેશી રહ્યું

આઝાદીના દિવસોમાં ઘર આંગણે અભણ દેખાયું..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.