Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને સમર્પિત રચના - આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી...


  • Published By :
  • Published Date : 2024-08-15 17:59:28

આજે 15મી ઓગસ્ટ છે.. 1947માં ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો હતો.. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનની કુરબાની આપી હતી.. ઘણા સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી હતી.. આઝાદીના અમૃત કાળની આપણે ઉજવણી કરી રહ્યા છીએ.. આઝાદ તો આપણે થઈ ગયા પરંતુ આજે પણ અનેક એવી સમસ્યાઓ છે જેની વાત કરવી જરૂરી બની છે..સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને લગતી રચનાને... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...


ગુલામીના દિવસોમાં તરફડતું હિંદુસ્તાન

આઝાદીનાં દિવસોમાં રઝળતું હિંદુસ્તાન


ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી

આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી


ગયા વર્ષોના દિવસોમાં રંગ ભેદભાવ હતો

આજની આઝાદીનાં ઉંચ નીચનો ભેદભાવ જોયો


ગુલામીનાં દિવસોમાં એકતાથી આઝાદી મેળવી

આજના આઝાદીના દિવસોમાં એકતા ગીરવે મૂકી દીધી


ગુલામીના દિવસોમાં ભૂખને પણ ભૂંડી માની

આઝાગીના દિવસોમાં ભરપેટે પણ ભૂખ લાગી


ગુલામીના દિવસોમાં શિક્ષણ વિદેશી રહ્યું

આઝાદીના દિવસોમાં ઘર આંગણે અભણ દેખાયું..



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.