Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને સમર્પિત રચના - આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી...


  • Published By :
  • Published Date : 2024-08-15 17:59:28

આજે 15મી ઓગસ્ટ છે.. 1947માં ભારત દેશ અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદ થયો હતો.. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનની કુરબાની આપી હતી.. ઘણા સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી હતી.. આઝાદીના અમૃત કાળની આપણે ઉજવણી કરી રહ્યા છીએ.. આઝાદ તો આપણે થઈ ગયા પરંતુ આજે પણ અનેક એવી સમસ્યાઓ છે જેની વાત કરવી જરૂરી બની છે..સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આઝાદીને લગતી રચનાને... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...


ગુલામીના દિવસોમાં તરફડતું હિંદુસ્તાન

આઝાદીનાં દિવસોમાં રઝળતું હિંદુસ્તાન


ગયા વર્ષોની ગુલામી તો આઝાદી જેવી લાગી

આજની આઝાદી સ્ત્રીઓને ગુલામી જેવી લાગી


ગયા વર્ષોના દિવસોમાં રંગ ભેદભાવ હતો

આજની આઝાદીનાં ઉંચ નીચનો ભેદભાવ જોયો


ગુલામીનાં દિવસોમાં એકતાથી આઝાદી મેળવી

આજના આઝાદીના દિવસોમાં એકતા ગીરવે મૂકી દીધી


ગુલામીના દિવસોમાં ભૂખને પણ ભૂંડી માની

આઝાગીના દિવસોમાં ભરપેટે પણ ભૂખ લાગી


ગુલામીના દિવસોમાં શિક્ષણ વિદેશી રહ્યું

આઝાદીના દિવસોમાં ઘર આંગણે અભણ દેખાયું..



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .