Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના - દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ માં..


  • Published By :
  • Published Date : 2024-03-12 15:52:17

બાળકના જીવનમાં માનું સ્થાન વિશેષ રહેલું હોય છે. સંતાન બહારથી ઘરે આવે તો સૌથી પહેલા તે શોધે છે કે મા ક્યા છે? માતા પણ બાળકના ઉછેર પાછળ પોતાની જીંદગીને ખર્ચી કાઢતી હોય છે. માતાને વ્હાલનું ઝરણું કહેવામાં આવે છે. માં માટે તો આપણે ત્યાં ઘણું બધુ લખાયું છે ઘણું બધું બોલાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના.. 



દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’

મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’


શૈશવમાં કાખમાં તેડી મને

મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’


ઉમરાથી આંગળીએ ઝાલી મને,

સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’


પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,

પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’


સ્નેહના આલિંગનમાં છોડી મને,

પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’


ટાઢના ઠંડા ભીના સ્પર્શે,

હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’


સૂર્યના અગ્નિ સમ તાપે,

શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’


મોતી સમ પડતા વરસાદે,

તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’ 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે