Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના - દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ માં..


  • Published By :
  • Published Date : 2024-03-12 15:52:17

બાળકના જીવનમાં માનું સ્થાન વિશેષ રહેલું હોય છે. સંતાન બહારથી ઘરે આવે તો સૌથી પહેલા તે શોધે છે કે મા ક્યા છે? માતા પણ બાળકના ઉછેર પાછળ પોતાની જીંદગીને ખર્ચી કાઢતી હોય છે. માતાને વ્હાલનું ઝરણું કહેવામાં આવે છે. માં માટે તો આપણે ત્યાં ઘણું બધુ લખાયું છે ઘણું બધું બોલાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના.. 



દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’

મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’


શૈશવમાં કાખમાં તેડી મને

મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’


ઉમરાથી આંગળીએ ઝાલી મને,

સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’


પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,

પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’


સ્નેહના આલિંગનમાં છોડી મને,

પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’


ટાઢના ઠંડા ભીના સ્પર્શે,

હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’


સૂર્યના અગ્નિ સમ તાપે,

શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’


મોતી સમ પડતા વરસાદે,

તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે