Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના - દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ માં..


  • Published By :
  • Published Date : 2024-03-12 15:52:17

બાળકના જીવનમાં માનું સ્થાન વિશેષ રહેલું હોય છે. સંતાન બહારથી ઘરે આવે તો સૌથી પહેલા તે શોધે છે કે મા ક્યા છે? માતા પણ બાળકના ઉછેર પાછળ પોતાની જીંદગીને ખર્ચી કાઢતી હોય છે. માતાને વ્હાલનું ઝરણું કહેવામાં આવે છે. માં માટે તો આપણે ત્યાં ઘણું બધુ લખાયું છે ઘણું બધું બોલાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના.. 



દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’

મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’


શૈશવમાં કાખમાં તેડી મને

મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’


ઉમરાથી આંગળીએ ઝાલી મને,

સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’


પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,

પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’


સ્નેહના આલિંગનમાં છોડી મને,

પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’


ટાઢના ઠંડા ભીના સ્પર્શે,

હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’


સૂર્યના અગ્નિ સમ તાપે,

શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’


મોતી સમ પડતા વરસાદે,

તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.