Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,


  • Published By :
  • Published Date : 2024-06-15 17:53:09

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પરંતુ પિતા માટે એટલું બધુ નથી કહેવાયું.. માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્રેમ દેખાતો નથી.. માતા વ્યક્ત કરે છે જ્યારે પિતા છાનેમાને સંતાનને પ્રેમ કરતા હોય છે.. માતા બાળકના આજને જોવે છે, તે પ્રમાણે વિચારે છે જ્યારે પિતા બાળકના ભવિષ્યનું વિચારે... અનેક વખત પિતા એટલા બધા કડક બની જાય છે બાળકના ભવિષ્યને લઈને કે તે બાળકના દુશ્મન બની જાય છે. બાળકને લાગે છે કે પિતા હંમેશા ખખડાવે છે, સલાહ આપે છે પરંતુ તેમની આપેલી સલાહ બાળકને ક્યારે કામમાં લાગે છે તેની ખબર નથી હોતી. માતાને તો આપણે કોઈ વખત થેન્કયુ કહેતા હોઈએ છીએ પરંતુ પિતાને ક્યારેય થેંક યુ નથી કહેતા. ત્યારે આવતી કાલે ફાધર્સ ડે છે તે દિવસે આપણે પિતાને થેંક યુ કહીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  




પા પા પગલી ભરાવી મને ચાલતા શીખવાડ્યું,

શિક્ષણ, સંસ્કાર આપી જીવન જીવતા શીખવાડ્યું,

એ મારા પપ્પા છે...



આંગણે આવેલને મીઠો આવકારો આપતા શીખવાડ્યું

પૈસાથી વધુ પ્રેમભાવને મહત્વ આપતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે..



દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,

પડ્યો જ્યાં હું ભૂલો ત્યાં ભૂલ સુધારી આગળ વધતા શીખવાડ્યા.

એ મારા પપ્પા છે..



હતાશામાં હિંમતભેર મને જીવતા શીખવાડ્યું, 

હાથથી હાથ મિલાવી આગળ વધતા મને શીખવાડ્યું

એ મારા પપ્પા છે..


સમાજમાં એકતા પ્રેમ ભાવ રાખી જીવતા શીખવાડ્યું

પોતે ખુશ રહી બીજાને કેમ ખુશ રાખવા એ શીખવાડ્યું

એ મારા પપ્પા છે.



નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવતા શીખવાડ્યું,

મને ગર્વ છે મારા પપ્પા પર કે મને માણસ થઈ રહેતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે.. 



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.