Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,


  • Published By :
  • Published Date : 2024-06-15 17:53:09

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પરંતુ પિતા માટે એટલું બધુ નથી કહેવાયું.. માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્રેમ દેખાતો નથી.. માતા વ્યક્ત કરે છે જ્યારે પિતા છાનેમાને સંતાનને પ્રેમ કરતા હોય છે.. માતા બાળકના આજને જોવે છે, તે પ્રમાણે વિચારે છે જ્યારે પિતા બાળકના ભવિષ્યનું વિચારે... અનેક વખત પિતા એટલા બધા કડક બની જાય છે બાળકના ભવિષ્યને લઈને કે તે બાળકના દુશ્મન બની જાય છે. બાળકને લાગે છે કે પિતા હંમેશા ખખડાવે છે, સલાહ આપે છે પરંતુ તેમની આપેલી સલાહ બાળકને ક્યારે કામમાં લાગે છે તેની ખબર નથી હોતી. માતાને તો આપણે કોઈ વખત થેન્કયુ કહેતા હોઈએ છીએ પરંતુ પિતાને ક્યારેય થેંક યુ નથી કહેતા. ત્યારે આવતી કાલે ફાધર્સ ડે છે તે દિવસે આપણે પિતાને થેંક યુ કહીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  




પા પા પગલી ભરાવી મને ચાલતા શીખવાડ્યું,

શિક્ષણ, સંસ્કાર આપી જીવન જીવતા શીખવાડ્યું,

એ મારા પપ્પા છે...



આંગણે આવેલને મીઠો આવકારો આપતા શીખવાડ્યું

પૈસાથી વધુ પ્રેમભાવને મહત્વ આપતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે..



દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,

પડ્યો જ્યાં હું ભૂલો ત્યાં ભૂલ સુધારી આગળ વધતા શીખવાડ્યા.

એ મારા પપ્પા છે..



હતાશામાં હિંમતભેર મને જીવતા શીખવાડ્યું, 

હાથથી હાથ મિલાવી આગળ વધતા મને શીખવાડ્યું

એ મારા પપ્પા છે..


સમાજમાં એકતા પ્રેમ ભાવ રાખી જીવતા શીખવાડ્યું

પોતે ખુશ રહી બીજાને કેમ ખુશ રાખવા એ શીખવાડ્યું

એ મારા પપ્પા છે.



નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવતા શીખવાડ્યું,

મને ગર્વ છે મારા પપ્પા પર કે મને માણસ થઈ રહેતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે.. 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.