Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત રચના - સમયને આમ ન જવા દે સમયને સાચવી લે


  • Published By :
  • Published Date : 2024-02-06 15:52:02

Time And Tide wait for none.. આપણે ત્યાં આવી કહેવત છે.. સમય કોઈના માટે રોકાતો નથી. સમયને ઓળખતા આપણને આવડવું જોઈએ. જો યોગ્ય સમયે નિર્ણય નથી લેવામાં આવતો તે તેનું દુ:ખ જીવનભર રહેતું હોય છે. સમય વેડફાઈ જાય એ બાદ આપણને સમયની કદર થતી હોય છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે જો એ સમયે આ નિર્ણય લઈ લીધો હોત તો... પરંતુ સમય કોઈના માટે રોકાતો નથી. આપણે સમયને સાચવીશું તો જ વ્હાલો સમય આપણને સાચવજે...


સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સમય કોઈના માટે નથી રોકાતો. જો ખરાબ સમય હોય તો ધીરજથી કામ લેવા માટે કવિ કહી રહ્યા છે. સમય બળવાન છે અને સમયથી બળવાન કોઈ નથી તેવું કવિ કહેવા માગે છે. તકને લઈને પણ કવિ કહી રહ્યા છે. જે સમયે તક મળે તેને ઝડપી લેવી જોઈએ. કારણ કે ગુમાવેલી તક અને વેડફેલો સમય પાછો ક્યારે નથી મળતો...     


સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમયનો સદ્ઉપયોગ કરી લે,


સમયને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર ઝડપી લે,


સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,


સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,


સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,


ભરત સુચક



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.