Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત રચના - સમયને આમ ન જવા દે સમયને સાચવી લે


  • Published By :
  • Published Date : 2024-02-06 15:52:02

Time And Tide wait for none.. આપણે ત્યાં આવી કહેવત છે.. સમય કોઈના માટે રોકાતો નથી. સમયને ઓળખતા આપણને આવડવું જોઈએ. જો યોગ્ય સમયે નિર્ણય નથી લેવામાં આવતો તે તેનું દુ:ખ જીવનભર રહેતું હોય છે. સમય વેડફાઈ જાય એ બાદ આપણને સમયની કદર થતી હોય છે. એ સમયે આપણે કહેતા હોઈએ છીએ કે જો એ સમયે આ નિર્ણય લઈ લીધો હોત તો... પરંતુ સમય કોઈના માટે રોકાતો નથી. આપણે સમયને સાચવીશું તો જ વ્હાલો સમય આપણને સાચવજે...


સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમયને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સમય કોઈના માટે નથી રોકાતો. જો ખરાબ સમય હોય તો ધીરજથી કામ લેવા માટે કવિ કહી રહ્યા છે. સમય બળવાન છે અને સમયથી બળવાન કોઈ નથી તેવું કવિ કહેવા માગે છે. તકને લઈને પણ કવિ કહી રહ્યા છે. જે સમયે તક મળે તેને ઝડપી લેવી જોઈએ. કારણ કે ગુમાવેલી તક અને વેડફેલો સમય પાછો ક્યારે નથી મળતો...     


સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમયનો સદ્ઉપયોગ કરી લે,


સમયને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર ઝડપી લે,


સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,


સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,


સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,


ભરત સુચક



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.