Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી....


  • Published By :
  • Published Date : 2024-07-06 18:03:16

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે.. પ્રેમીઓ અલગ જ દુનિયામાં જીવતા હોય તેવું લાગે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી..   




લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.


એની સતત નજર અને મારા હૃદય ઉપર ?

કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?


એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?

શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.


થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,

ફુરસદ મને મળે જો તમારા વિચારથી.


સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?

મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી


અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ

ખંડેર જેવું લાગે છે ,”આદિલ’ ” બહારથી.


આદિલ મન્સૂરી



એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.