Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 18:03:16

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે.. પ્રેમીઓ અલગ જ દુનિયામાં જીવતા હોય તેવું લાગે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી..   




લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.


એની સતત નજર અને મારા હૃદય ઉપર ?

કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?


એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?

શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.


થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,

ફુરસદ મને મળે જો તમારા વિચારથી.


સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?

મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી


અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ

ખંડેર જેવું લાગે છે ,”આદિલ’ ” બહારથી.


આદિલ મન્સૂરી



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...