Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે અંકિત ત્રિવેદીની રચના - એવા મારા પિતા...


  • Published By :
  • Published Date : 2024-01-29 16:39:44

પિતા માટે આપણે ત્યાં ઓછું કહેવાયું છે, ઓછું લખાયું છે. માતા માટે જેટલું કહેવાયું છે કે તેટલું પિતા માટે નથી કહેવાયું. માતા બોલીને પ્રેમ વ્યક્ત કરી શકે છે પરંતુ પિતા મૌન બનીને બાળકના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. પિતા બાળકને હિંમતવાન બનાવવા માગે છે, એવા મજબૂત બનાવા માગે છે કે દુનિયાની આગળ તે ઝૂકી ના જાય, દુનિયાનો સામનો બાળક કરી શકે તેવી રીતે બાળકને પિતા ટ્રેનિંગ આપે છે. પરંતુ અનેક વખત પિતાને બાળકના નફરતનો સામનો કરવો પડે છે. 


 

એવા મારા પિતા.... 

આજે સાહિત્યના સમીપમાં અંકિત ત્રિવેદીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે પિતા વિશે કહે છે. પિતા કહ્યા વગર બાળકને બધુ શિખવાડતા હોય છે. પિતાથી બાળક ડરે છે પરંતુ જ્યારે બાળક પિતાને સમજતો થાય છે ત્યારે પિતા બાળકના મિત્ર બની જાય છે. દુનિયાનો સામનો કઈ રીતે કરવો જોઈએ તેની ટ્રેનિંગ પપ્પા આપે છે.      


પિતા વિશે સ્વયં પિતા મૌન છે

દુનિયાના મહાભારત આગળ 

કૃષ્ણ કહે છે ગીતા... એવા મારા પિતા... 

કહ્યા વગર જે શીખવાડે

એવો શિક્ષક જેનામા ,

એ પિતા મારામાં જીવે 

હું જીવું એનામાં... 

સુખના દિવસો છલકાવવામાં, 

દુ:ખનાં આંસુ પીતા... એવા મારા પિતા... 

ટેકો આપી બેસાડે તે મમ્મી 

ટેકા સાથે કરે ચાલતા પપ્પા, 

એ પપ્પાનું શીખી શીખીને 

મિત્રો આગળ બચપણ મારે ગપ્પાં 

ધરતી જેવું ધૈર્ય જીવે, 

માણસના રૂપમાં સીતા..એવા મારા પિતા... 

ક્યારે થઇશ તું મોટો કહેતાં 

છું મોટો તો કહે છે રહ્યો હજુયે નાનો, 

બીક લાગતાં દિવસો ક્યારે 

દોસ્ત બન્યા એ કહું છું મુજને છાનોમાનો 

સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા... 

એવા મારા પિતા... 

- અંકિત ત્રિવેદી



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.