Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે અંકિત ત્રિવેદીની રચના - એવા મારા પિતા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 16:39:44

પિતા માટે આપણે ત્યાં ઓછું કહેવાયું છે, ઓછું લખાયું છે. માતા માટે જેટલું કહેવાયું છે કે તેટલું પિતા માટે નથી કહેવાયું. માતા બોલીને પ્રેમ વ્યક્ત કરી શકે છે પરંતુ પિતા મૌન બનીને બાળકના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. પિતા બાળકને હિંમતવાન બનાવવા માગે છે, એવા મજબૂત બનાવા માગે છે કે દુનિયાની આગળ તે ઝૂકી ના જાય, દુનિયાનો સામનો બાળક કરી શકે તેવી રીતે બાળકને પિતા ટ્રેનિંગ આપે છે. પરંતુ અનેક વખત પિતાને બાળકના નફરતનો સામનો કરવો પડે છે. 


 

એવા મારા પિતા.... 

આજે સાહિત્યના સમીપમાં અંકિત ત્રિવેદીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે પિતા વિશે કહે છે. પિતા કહ્યા વગર બાળકને બધુ શિખવાડતા હોય છે. પિતાથી બાળક ડરે છે પરંતુ જ્યારે બાળક પિતાને સમજતો થાય છે ત્યારે પિતા બાળકના મિત્ર બની જાય છે. દુનિયાનો સામનો કઈ રીતે કરવો જોઈએ તેની ટ્રેનિંગ પપ્પા આપે છે.      


પિતા વિશે સ્વયં પિતા મૌન છે

દુનિયાના મહાભારત આગળ 

કૃષ્ણ કહે છે ગીતા... એવા મારા પિતા... 

કહ્યા વગર જે શીખવાડે

એવો શિક્ષક જેનામા ,

એ પિતા મારામાં જીવે 

હું જીવું એનામાં... 

સુખના દિવસો છલકાવવામાં, 

દુ:ખનાં આંસુ પીતા... એવા મારા પિતા... 

ટેકો આપી બેસાડે તે મમ્મી 

ટેકા સાથે કરે ચાલતા પપ્પા, 

એ પપ્પાનું શીખી શીખીને 

મિત્રો આગળ બચપણ મારે ગપ્પાં 

ધરતી જેવું ધૈર્ય જીવે, 

માણસના રૂપમાં સીતા..એવા મારા પિતા... 

ક્યારે થઇશ તું મોટો કહેતાં 

છું મોટો તો કહે છે રહ્યો હજુયે નાનો, 

બીક લાગતાં દિવસો ક્યારે 

દોસ્ત બન્યા એ કહું છું મુજને છાનોમાનો 

સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા... 

એવા મારા પિતા... 

- અંકિત ત્રિવેદી



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..