Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે અંકિત ત્રિવેદીની રચના - એવા મારા પિતા...


  • Published By :
  • Published Date : 2024-01-29 16:39:44

પિતા માટે આપણે ત્યાં ઓછું કહેવાયું છે, ઓછું લખાયું છે. માતા માટે જેટલું કહેવાયું છે કે તેટલું પિતા માટે નથી કહેવાયું. માતા બોલીને પ્રેમ વ્યક્ત કરી શકે છે પરંતુ પિતા મૌન બનીને બાળકના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. પિતા બાળકને હિંમતવાન બનાવવા માગે છે, એવા મજબૂત બનાવા માગે છે કે દુનિયાની આગળ તે ઝૂકી ના જાય, દુનિયાનો સામનો બાળક કરી શકે તેવી રીતે બાળકને પિતા ટ્રેનિંગ આપે છે. પરંતુ અનેક વખત પિતાને બાળકના નફરતનો સામનો કરવો પડે છે. 


 

એવા મારા પિતા.... 

આજે સાહિત્યના સમીપમાં અંકિત ત્રિવેદીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે પિતા વિશે કહે છે. પિતા કહ્યા વગર બાળકને બધુ શિખવાડતા હોય છે. પિતાથી બાળક ડરે છે પરંતુ જ્યારે બાળક પિતાને સમજતો થાય છે ત્યારે પિતા બાળકના મિત્ર બની જાય છે. દુનિયાનો સામનો કઈ રીતે કરવો જોઈએ તેની ટ્રેનિંગ પપ્પા આપે છે.      


પિતા વિશે સ્વયં પિતા મૌન છે

દુનિયાના મહાભારત આગળ 

કૃષ્ણ કહે છે ગીતા... એવા મારા પિતા... 

કહ્યા વગર જે શીખવાડે

એવો શિક્ષક જેનામા ,

એ પિતા મારામાં જીવે 

હું જીવું એનામાં... 

સુખના દિવસો છલકાવવામાં, 

દુ:ખનાં આંસુ પીતા... એવા મારા પિતા... 

ટેકો આપી બેસાડે તે મમ્મી 

ટેકા સાથે કરે ચાલતા પપ્પા, 

એ પપ્પાનું શીખી શીખીને 

મિત્રો આગળ બચપણ મારે ગપ્પાં 

ધરતી જેવું ધૈર્ય જીવે, 

માણસના રૂપમાં સીતા..એવા મારા પિતા... 

ક્યારે થઇશ તું મોટો કહેતાં 

છું મોટો તો કહે છે રહ્યો હજુયે નાનો, 

બીક લાગતાં દિવસો ક્યારે 

દોસ્ત બન્યા એ કહું છું મુજને છાનોમાનો 

સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા... 

એવા મારા પિતા... 

- અંકિત ત્રિવેદી



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.