Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના - મજા જિંદગી છે હસો ને હસાવો


  • Published By :
  • Published Date : 2024-01-31 16:32:32

આપણે નાના હોઈએ છીએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે. મોટા થઈને સપના પૂરા કરવાની આશા હોય છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે જીવનને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. જિંદગી બેરંગ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત માત્ર ફોર્માલિટી માટે લોકો સાથે વાત કરવી પડે છે અને હસવું પડે છે પરંતુ અંદરથી આપણે જિંદગીને નથી માણતા. હસવાનું જાણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીને જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ. પ્રાકૃતિક સુંદરતાને જોવાનું ભૂલી જતા હોઈએ છીએ.


મજા જિંદગી છે હસો ને હસાવો...

સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના પ્રસ્તુત કરવી છે જેમાં લોકોને જિંદગીમાં મજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જીવીએ છીએ ત્યાં સુધી હસવું જોઈએ અને હસાવું જોઈએ.  



મજા જિંદગી છે હસો ને હસાવો,

પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.


અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,

બધાં બંધનો એહ દૂરે ફગાવો.


જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,

ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.


ભરી છે મજા કેવી કુદરત મહીં જો,

જિગર-બીન એવું તમેયે બજાવો.


ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,

અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.


ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,

અરે મોતને પણ હસીને હસાવો.


–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.