Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના - મજા જિંદગી છે હસો ને હસાવો


  • Published By :
  • Published Date : 2024-01-31 16:32:32

આપણે નાના હોઈએ છીએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે. મોટા થઈને સપના પૂરા કરવાની આશા હોય છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે જીવનને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. જિંદગી બેરંગ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત માત્ર ફોર્માલિટી માટે લોકો સાથે વાત કરવી પડે છે અને હસવું પડે છે પરંતુ અંદરથી આપણે જિંદગીને નથી માણતા. હસવાનું જાણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીને જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ. પ્રાકૃતિક સુંદરતાને જોવાનું ભૂલી જતા હોઈએ છીએ.


મજા જિંદગી છે હસો ને હસાવો...

સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના પ્રસ્તુત કરવી છે જેમાં લોકોને જિંદગીમાં મજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જીવીએ છીએ ત્યાં સુધી હસવું જોઈએ અને હસાવું જોઈએ.  



મજા જિંદગી છે હસો ને હસાવો,

પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.


અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,

બધાં બંધનો એહ દૂરે ફગાવો.


જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,

ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.


ભરી છે મજા કેવી કુદરત મહીં જો,

જિગર-બીન એવું તમેયે બજાવો.


ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,

અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.


ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,

અરે મોતને પણ હસીને હસાવો.


–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે