Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના - મજા જિંદગી છે હસો ને હસાવો


  • Published By :
  • Published Date : 2024-01-31 16:32:32

આપણે નાના હોઈએ છીએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે. મોટા થઈને સપના પૂરા કરવાની આશા હોય છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે જીવનને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. જિંદગી બેરંગ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત માત્ર ફોર્માલિટી માટે લોકો સાથે વાત કરવી પડે છે અને હસવું પડે છે પરંતુ અંદરથી આપણે જિંદગીને નથી માણતા. હસવાનું જાણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીને જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ. પ્રાકૃતિક સુંદરતાને જોવાનું ભૂલી જતા હોઈએ છીએ.


મજા જિંદગી છે હસો ને હસાવો...

સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના પ્રસ્તુત કરવી છે જેમાં લોકોને જિંદગીમાં મજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જીવીએ છીએ ત્યાં સુધી હસવું જોઈએ અને હસાવું જોઈએ.  



મજા જિંદગી છે હસો ને હસાવો,

પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.


અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,

બધાં બંધનો એહ દૂરે ફગાવો.


જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,

ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.


ભરી છે મજા કેવી કુદરત મહીં જો,

જિગર-બીન એવું તમેયે બજાવો.


ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,

અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.


ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,

અરે મોતને પણ હસીને હસાવો.


–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.