Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે


  • Published By :
  • Published Date : 2024-04-30 17:43:59

બાળકોને સૌથી વધારે પસંદ વેકેશનના દિવસો હોય છે.. વેકેશન દરમિયાન બાળકો જી ભરીને જીવી લે છે.. મોટા લોકો જ્યારે નાના બાળકોને જોવું છે ત્યારે તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.. માની મમતા યાદ આવી જાય છે, બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવી જાય છે.. પાડોસી દ્વારા પિતાને કરવામાં આવતી ફરિયાદ યાદ આવી જાય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં આવી જ વાતોને વાગોળવામાં આવી છે... આ રચના કોની છે તેની જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે,

જ્યાં બા કાંસકો લઈ મારા વાળ ઓળે છે..


કોઈ પણ ભુલે મારા બાપુજીનો એક જ ઠપકો

અલ્યા શું કામ મારૂં નામ બોળે છે?


પાડોશી હંમેશા ફરિયાદ લઈને આવતો

તમારો છોકરો વાડાની બદામ તોડે છે..


મોંઘા ગાલચાઓમાં ક્યાં ઉંઘ આવે છે,

પોઢવાની મજા તો બસ બાના ખોળે છે...


ખાવામાં આડાઈ કરૂં તો બા બીક બતાવે

ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે..


મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ

સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે...



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"