Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-30 17:43:59

બાળકોને સૌથી વધારે પસંદ વેકેશનના દિવસો હોય છે.. વેકેશન દરમિયાન બાળકો જી ભરીને જીવી લે છે.. મોટા લોકો જ્યારે નાના બાળકોને જોવું છે ત્યારે તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.. માની મમતા યાદ આવી જાય છે, બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવી જાય છે.. પાડોસી દ્વારા પિતાને કરવામાં આવતી ફરિયાદ યાદ આવી જાય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં આવી જ વાતોને વાગોળવામાં આવી છે... આ રચના કોની છે તેની જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે,

જ્યાં બા કાંસકો લઈ મારા વાળ ઓળે છે..


કોઈ પણ ભુલે મારા બાપુજીનો એક જ ઠપકો

અલ્યા શું કામ મારૂં નામ બોળે છે?


પાડોશી હંમેશા ફરિયાદ લઈને આવતો

તમારો છોકરો વાડાની બદામ તોડે છે..


મોંઘા ગાલચાઓમાં ક્યાં ઉંઘ આવે છે,

પોઢવાની મજા તો બસ બાના ખોળે છે...


ખાવામાં આડાઈ કરૂં તો બા બીક બતાવે

ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે..


મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ

સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે...



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.