Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે


  • Published By :
  • Published Date : 2024-04-30 17:43:59

બાળકોને સૌથી વધારે પસંદ વેકેશનના દિવસો હોય છે.. વેકેશન દરમિયાન બાળકો જી ભરીને જીવી લે છે.. મોટા લોકો જ્યારે નાના બાળકોને જોવું છે ત્યારે તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.. માની મમતા યાદ આવી જાય છે, બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવી જાય છે.. પાડોસી દ્વારા પિતાને કરવામાં આવતી ફરિયાદ યાદ આવી જાય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં આવી જ વાતોને વાગોળવામાં આવી છે... આ રચના કોની છે તેની જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે,

જ્યાં બા કાંસકો લઈ મારા વાળ ઓળે છે..


કોઈ પણ ભુલે મારા બાપુજીનો એક જ ઠપકો

અલ્યા શું કામ મારૂં નામ બોળે છે?


પાડોશી હંમેશા ફરિયાદ લઈને આવતો

તમારો છોકરો વાડાની બદામ તોડે છે..


મોંઘા ગાલચાઓમાં ક્યાં ઉંઘ આવે છે,

પોઢવાની મજા તો બસ બાના ખોળે છે...


ખાવામાં આડાઈ કરૂં તો બા બીક બતાવે

ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે..


મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ

સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે...



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે