Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે


  • Published By :
  • Published Date : 2024-04-30 17:43:59

બાળકોને સૌથી વધારે પસંદ વેકેશનના દિવસો હોય છે.. વેકેશન દરમિયાન બાળકો જી ભરીને જીવી લે છે.. મોટા લોકો જ્યારે નાના બાળકોને જોવું છે ત્યારે તેમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.. માની મમતા યાદ આવી જાય છે, બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવી જાય છે.. પાડોસી દ્વારા પિતાને કરવામાં આવતી ફરિયાદ યાદ આવી જાય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં આવી જ વાતોને વાગોળવામાં આવી છે... આ રચના કોની છે તેની જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



મારૂં મન બાળપણના એ દિવસો ખોળે છે,

જ્યાં બા કાંસકો લઈ મારા વાળ ઓળે છે..


કોઈ પણ ભુલે મારા બાપુજીનો એક જ ઠપકો

અલ્યા શું કામ મારૂં નામ બોળે છે?


પાડોશી હંમેશા ફરિયાદ લઈને આવતો

તમારો છોકરો વાડાની બદામ તોડે છે..


મોંઘા ગાલચાઓમાં ક્યાં ઉંઘ આવે છે,

પોઢવાની મજા તો બસ બાના ખોળે છે...


ખાવામાં આડાઈ કરૂં તો બા બીક બતાવે

ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે..


મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ

સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે...



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .