Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુુત છે રચના - મુશ્કેલ બને છે જીવવું જ્યારે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 16:33:50

અનેક લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે જીવવા માટે અનેક દર્દ સહન કરવા પડતા હોય છે. અનેક સપનાઓને, આંસુઓને પોતાના સુધી રાખવા પડતા હોય છે જીવન જીવવા માટે.. સામાન્ય રીતે જીંદગીમાં આશા ન છોડવી જોઈએ પરંતુ જ્યારે આશા છુટી જાય છે ત્યારે જીવવું વધારે મુશ્કેલ લાગે છે. મોત સહેલું જ્યારે જીવન પડકાર લાગે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં જીવનનો મર્મ દર્શાવવામાં આવ્યો છે.! આ રચના કોની છે તેની અમને ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો...   


મરતા નથી હોતા બધા લોકો મોતથી.... 


મરતા નથી હોતા બધા લોકો મોતથી,

કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,

સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,

નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,

તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,

મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,

એને તો આવતાય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...