Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - દિશાહિન શ્રદ્ધા ડૂબે છે....


  • Published By :
  • Published Date : 2024-04-25 17:56:53

કહેવાય છે કે શ્રદ્ધા માણસને જીવાડે છે... જીંદગીમાં જ્યારે મુશ્કેલ ઘડી આવે છે ત્યારે પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખી માણસ તે સમયને પાર કરી શકે છે.. પરંતુ અનેક વખત દિશાહિન શ્રદ્ધા માણસને ડૂબાડે છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સમય સારો હોય ત્યારે તેમની  પાસે જાહોજલાલી હોય, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે કફન માટે પણ પૈસા ના હોય.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં આવી જ કંઈ વાત કરવામાં આવી છે...    



દિશાહીન શ્રદ્ધા ડૂબે છે...


અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,

ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;

પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,

મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.


ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,

મિલનની ઘડી જાય છે આવનારા!

હવે વાર કરવી નકામી જ છે જ્યાં,

છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.


ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,

તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;

મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,

પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.


અમે કૈંક જોયા નજરની જ સામે,

ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;

પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,

કફન માપસરનું ન પામ્યા દુલારા.


કદાચિત મળી જાય મોતી અમૂલાં,

લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ

નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,

અને દૂર દીઠા છલકતા કિનારા.


પરાયા બનીને નિહાળી રહ્યા છે,

અમારા જીવનની હરાજીના સોદા;

અને તેય જાહેરમાં જે સ્વજનને

અમે માનતા’તા અમારા-અમારા.


‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,

સમયની ગતિ છે અલૌકિક – અજાણી;

અહીં કૈંક સંજોગના દોરડાથી

નથાઈ ગયા કાળને નાથનારા.


– જમિયત પંડ્યા ‘જિગર’ 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે