Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - દિશાહિન શ્રદ્ધા ડૂબે છે....


  • Published By :
  • Published Date : 2024-04-25 17:56:53

કહેવાય છે કે શ્રદ્ધા માણસને જીવાડે છે... જીંદગીમાં જ્યારે મુશ્કેલ ઘડી આવે છે ત્યારે પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખી માણસ તે સમયને પાર કરી શકે છે.. પરંતુ અનેક વખત દિશાહિન શ્રદ્ધા માણસને ડૂબાડે છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સમય સારો હોય ત્યારે તેમની  પાસે જાહોજલાલી હોય, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે કફન માટે પણ પૈસા ના હોય.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં આવી જ કંઈ વાત કરવામાં આવી છે...    



દિશાહીન શ્રદ્ધા ડૂબે છે...


અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,

ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;

પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,

મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.


ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,

મિલનની ઘડી જાય છે આવનારા!

હવે વાર કરવી નકામી જ છે જ્યાં,

છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.


ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,

તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;

મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,

પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.


અમે કૈંક જોયા નજરની જ સામે,

ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;

પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,

કફન માપસરનું ન પામ્યા દુલારા.


કદાચિત મળી જાય મોતી અમૂલાં,

લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ

નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,

અને દૂર દીઠા છલકતા કિનારા.


પરાયા બનીને નિહાળી રહ્યા છે,

અમારા જીવનની હરાજીના સોદા;

અને તેય જાહેરમાં જે સ્વજનને

અમે માનતા’તા અમારા-અમારા.


‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,

સમયની ગતિ છે અલૌકિક – અજાણી;

અહીં કૈંક સંજોગના દોરડાથી

નથાઈ ગયા કાળને નાથનારા.


– જમિયત પંડ્યા ‘જિગર’ 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.