Gujarati Literature : સાહિત્યની સમીપમાં આજે આઈ સોનલને સમર્પિત દુહા...


  • Published By :
  • Published Date : 2024-01-13 12:09:34

ખીજ જેની ખટકે નહી 

રૂદયે કાયમ રીત

એવી મઢડા વાળી માત ની 

આવી સોનલ બીજ આજ !!


આજે સોનલ બીજ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં સોનલ માઈને સમર્પિત એવા દુહા જણાવા છે જેમાં માઈના ગુણગાન કરવામાં આવ્યા છે. આઈ સોનલના ઈતિહાસની વાત કરીએ તો  ટૂંક ઇતિહાસ કહું તો સોનલ માનો જન્મ પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 8/1/1924 પોષ સુદ બીજના દિવસે મઢડામાં જ થયો હતો માતાજીનો જન્મ સોનલ બીજ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે. 


કુરિવાજો તેમજ લોકોમાં જાગૃત્તિ માટે સોનલ માઈએ કર્યું છે કામ

સોનલમાંના 100 વર્ષ પૂરા થયા જેથી ભારતભરમાં આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને સોનલમાં નો જ્યાં જન્મ થયો એ ગમ એટલે જૂનાગઢથી માત્ર 30 કિમી દૂર મઢડા ગામ કે જ્યાં ત્રિ દિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મઢડા ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. સોનલમાં ભણવા તો ક્યારેય ગયા ન હતા પરંતુ અનેક ને ભણાવ્યા, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી. સોનલ મા એ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી. અને શિક્ષણને વેગ આપવા લોકોને સમજૂતી આપી હતી

Jay sonal ma - ભય ના રહે એના મન મા ............... | Facebook

સોનલમાં ના ઘણા દુહા લખાયા છે જેમાંથી અમુક દુહા તમારી સામે પ્રસ્તુ કરવા છે - 


જોય હતી જેની અમે વરસ આખું વાટ 

ઊગ્યો એ પ્રભાત સુદ બીજનો સોનબાઈ 


માંગ્યા કરતાં માવડી તું બમણું દેતી બાય 

કાળું કે બીજું ક્વ ભણા તોળે સોરઠ વાળી સોનબાઈ 


પાંખું દઈને પરમેશ્વરી તે ઉડતા કરી દીધા આઈ 

હવે સાચી દિશા દેખાડજે સાથે રહીને માં સોનબાઈ 



શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ,

સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. 


અને ખાસ કરી ને કાવી કાગ બાપુએ શું લખ્યું 

કાળી અંધારી કાય સુઝે નહી

વરણ માથે પડી રાત

એ... રજ ઉડે અને આભં ઢંકાણો

એની સુરજ પુરે છે સાદ

ઉગમણા ઓરડા વાળી

ભજુ તને ભેળીયા વાળી

કવિ કાગ બાપુ



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.