Gujarati Literature : સાહિત્યની સમીપમાં આજે આઈ સોનલને સમર્પિત દુહા...


  • Published By :
  • Published Date : 2024-01-13 12:09:34

ખીજ જેની ખટકે નહી 

રૂદયે કાયમ રીત

એવી મઢડા વાળી માત ની 

આવી સોનલ બીજ આજ !!


આજે સોનલ બીજ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં સોનલ માઈને સમર્પિત એવા દુહા જણાવા છે જેમાં માઈના ગુણગાન કરવામાં આવ્યા છે. આઈ સોનલના ઈતિહાસની વાત કરીએ તો  ટૂંક ઇતિહાસ કહું તો સોનલ માનો જન્મ પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 8/1/1924 પોષ સુદ બીજના દિવસે મઢડામાં જ થયો હતો માતાજીનો જન્મ સોનલ બીજ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે. 


કુરિવાજો તેમજ લોકોમાં જાગૃત્તિ માટે સોનલ માઈએ કર્યું છે કામ

સોનલમાંના 100 વર્ષ પૂરા થયા જેથી ભારતભરમાં આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને સોનલમાં નો જ્યાં જન્મ થયો એ ગમ એટલે જૂનાગઢથી માત્ર 30 કિમી દૂર મઢડા ગામ કે જ્યાં ત્રિ દિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મઢડા ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. સોનલમાં ભણવા તો ક્યારેય ગયા ન હતા પરંતુ અનેક ને ભણાવ્યા, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી. સોનલ મા એ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી. અને શિક્ષણને વેગ આપવા લોકોને સમજૂતી આપી હતી

Jay sonal ma - ભય ના રહે એના મન મા ............... | Facebook

સોનલમાં ના ઘણા દુહા લખાયા છે જેમાંથી અમુક દુહા તમારી સામે પ્રસ્તુ કરવા છે - 


જોય હતી જેની અમે વરસ આખું વાટ 

ઊગ્યો એ પ્રભાત સુદ બીજનો સોનબાઈ 


માંગ્યા કરતાં માવડી તું બમણું દેતી બાય 

કાળું કે બીજું ક્વ ભણા તોળે સોરઠ વાળી સોનબાઈ 


પાંખું દઈને પરમેશ્વરી તે ઉડતા કરી દીધા આઈ 

હવે સાચી દિશા દેખાડજે સાથે રહીને માં સોનબાઈ 



શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ,

સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. 


અને ખાસ કરી ને કાવી કાગ બાપુએ શું લખ્યું 

કાળી અંધારી કાય સુઝે નહી

વરણ માથે પડી રાત

એ... રજ ઉડે અને આભં ઢંકાણો

એની સુરજ પુરે છે સાદ

ઉગમણા ઓરડા વાળી

ભજુ તને ભેળીયા વાળી

કવિ કાગ બાપુ



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"