Gujarati Literature : સાહિત્યની સમીપમાં આજે આઈ સોનલને સમર્પિત દુહા...


  • Published By :
  • Published Date : 2024-01-13 12:09:34

ખીજ જેની ખટકે નહી 

રૂદયે કાયમ રીત

એવી મઢડા વાળી માત ની 

આવી સોનલ બીજ આજ !!


આજે સોનલ બીજ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં સોનલ માઈને સમર્પિત એવા દુહા જણાવા છે જેમાં માઈના ગુણગાન કરવામાં આવ્યા છે. આઈ સોનલના ઈતિહાસની વાત કરીએ તો  ટૂંક ઇતિહાસ કહું તો સોનલ માનો જન્મ પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 8/1/1924 પોષ સુદ બીજના દિવસે મઢડામાં જ થયો હતો માતાજીનો જન્મ સોનલ બીજ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે. 


કુરિવાજો તેમજ લોકોમાં જાગૃત્તિ માટે સોનલ માઈએ કર્યું છે કામ

સોનલમાંના 100 વર્ષ પૂરા થયા જેથી ભારતભરમાં આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને સોનલમાં નો જ્યાં જન્મ થયો એ ગમ એટલે જૂનાગઢથી માત્ર 30 કિમી દૂર મઢડા ગામ કે જ્યાં ત્રિ દિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મઢડા ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. સોનલમાં ભણવા તો ક્યારેય ગયા ન હતા પરંતુ અનેક ને ભણાવ્યા, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી. સોનલ મા એ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી. અને શિક્ષણને વેગ આપવા લોકોને સમજૂતી આપી હતી

Jay sonal ma - ભય ના રહે એના મન મા ............... | Facebook

સોનલમાં ના ઘણા દુહા લખાયા છે જેમાંથી અમુક દુહા તમારી સામે પ્રસ્તુ કરવા છે - 


જોય હતી જેની અમે વરસ આખું વાટ 

ઊગ્યો એ પ્રભાત સુદ બીજનો સોનબાઈ 


માંગ્યા કરતાં માવડી તું બમણું દેતી બાય 

કાળું કે બીજું ક્વ ભણા તોળે સોરઠ વાળી સોનબાઈ 


પાંખું દઈને પરમેશ્વરી તે ઉડતા કરી દીધા આઈ 

હવે સાચી દિશા દેખાડજે સાથે રહીને માં સોનબાઈ 



શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ,

સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. 


અને ખાસ કરી ને કાવી કાગ બાપુએ શું લખ્યું 

કાળી અંધારી કાય સુઝે નહી

વરણ માથે પડી રાત

એ... રજ ઉડે અને આભં ઢંકાણો

એની સુરજ પુરે છે સાદ

ઉગમણા ઓરડા વાળી

ભજુ તને ભેળીયા વાળી

કવિ કાગ બાપુ



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે