Gujarati Literature : સાહિત્યની સમીપમાં આજે આઈ સોનલને સમર્પિત દુહા...


  • Published By :
  • Published Date : 2024-01-13 12:09:34

ખીજ જેની ખટકે નહી 

રૂદયે કાયમ રીત

એવી મઢડા વાળી માત ની 

આવી સોનલ બીજ આજ !!


આજે સોનલ બીજ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં સોનલ માઈને સમર્પિત એવા દુહા જણાવા છે જેમાં માઈના ગુણગાન કરવામાં આવ્યા છે. આઈ સોનલના ઈતિહાસની વાત કરીએ તો  ટૂંક ઇતિહાસ કહું તો સોનલ માનો જન્મ પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 8/1/1924 પોષ સુદ બીજના દિવસે મઢડામાં જ થયો હતો માતાજીનો જન્મ સોનલ બીજ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે. 


કુરિવાજો તેમજ લોકોમાં જાગૃત્તિ માટે સોનલ માઈએ કર્યું છે કામ

સોનલમાંના 100 વર્ષ પૂરા થયા જેથી ભારતભરમાં આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને સોનલમાં નો જ્યાં જન્મ થયો એ ગમ એટલે જૂનાગઢથી માત્ર 30 કિમી દૂર મઢડા ગામ કે જ્યાં ત્રિ દિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મઢડા ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. સોનલમાં ભણવા તો ક્યારેય ગયા ન હતા પરંતુ અનેક ને ભણાવ્યા, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી. સોનલ મા એ સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી. અને શિક્ષણને વેગ આપવા લોકોને સમજૂતી આપી હતી

Jay sonal ma - ભય ના રહે એના મન મા ............... | Facebook

સોનલમાં ના ઘણા દુહા લખાયા છે જેમાંથી અમુક દુહા તમારી સામે પ્રસ્તુ કરવા છે - 


જોય હતી જેની અમે વરસ આખું વાટ 

ઊગ્યો એ પ્રભાત સુદ બીજનો સોનબાઈ 


માંગ્યા કરતાં માવડી તું બમણું દેતી બાય 

કાળું કે બીજું ક્વ ભણા તોળે સોરઠ વાળી સોનબાઈ 


પાંખું દઈને પરમેશ્વરી તે ઉડતા કરી દીધા આઈ 

હવે સાચી દિશા દેખાડજે સાથે રહીને માં સોનબાઈ 



શુભ વિચારના સંસ્કાર અમને પાયા આઈ,

સઘડો સેવક સમાજ સદાય ઋણી સોનબાઈ. 


અને ખાસ કરી ને કાવી કાગ બાપુએ શું લખ્યું 

કાળી અંધારી કાય સુઝે નહી

વરણ માથે પડી રાત

એ... રજ ઉડે અને આભં ઢંકાણો

એની સુરજ પુરે છે સાદ

ઉગમણા ઓરડા વાળી

ભજુ તને ભેળીયા વાળી

કવિ કાગ બાપુ



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.