Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે માને સમર્પિત રચના પ્રસ્તુત છે - મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે...


  • Published By :
  • Published Date : 2024-02-15 17:05:59

બાળકના જીવનમાં માતાનું સ્થાન એવું હોય છે જેની તોલે કોઈ ના આવી શકે. આપણે ત્યાં ભગવાન કરતા પણ મોટું સ્થાન માતા પિતાને આપવામાં આવ્યું છે. એવું માનીએ છીએ કે ભગવાનને ભજવવાથી આપણને માતા પિતા નથી મળી જવાના, પરંતુ માતા પિતાની સેવા કરવાથી ઈશ્વર પ્રાપ્ત થાય છે! બાળકને નાનામાં નાની ઈજા ભલે કેમ ના હોય પરંતુ માતા માટે તે ઈજા મોટી હોય છે. ઈજા ભલે બાળકને થઈ હોય પરંતુ તેનું દર્દ માતાને થતું હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના.... 


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે


જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માનું ઉધાર નીકળે.


તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખેથી ઓડકાર નીકળે.


તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે.


પહેલામાં નિશાળે જોતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથીય આંસુ ચોધાર નીકળે.


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.


દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.


સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે..


- સાજીદ સૈયદ   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે