Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે માને સમર્પિત રચના પ્રસ્તુત છે - મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 17:05:59

બાળકના જીવનમાં માતાનું સ્થાન એવું હોય છે જેની તોલે કોઈ ના આવી શકે. આપણે ત્યાં ભગવાન કરતા પણ મોટું સ્થાન માતા પિતાને આપવામાં આવ્યું છે. એવું માનીએ છીએ કે ભગવાનને ભજવવાથી આપણને માતા પિતા નથી મળી જવાના, પરંતુ માતા પિતાની સેવા કરવાથી ઈશ્વર પ્રાપ્ત થાય છે! બાળકને નાનામાં નાની ઈજા ભલે કેમ ના હોય પરંતુ માતા માટે તે ઈજા મોટી હોય છે. ઈજા ભલે બાળકને થઈ હોય પરંતુ તેનું દર્દ માતાને થતું હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના.... 


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે


જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માનું ઉધાર નીકળે.


તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખેથી ઓડકાર નીકળે.


તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે.


પહેલામાં નિશાળે જોતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથીય આંસુ ચોધાર નીકળે.


મારી સફળતાને એક' દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.


દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.


સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે..


- સાજીદ સૈયદ   




ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.