Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - લોલીપોપની લ્હાણી


  • Published By :
  • Published Date : 2024-04-18 16:48:02

દેશમાં  આવતી કાલથી લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ જવાની છે. આવતીકાલે 102 બેઠકો માટે મતદાન થવાનું છે... મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે જેને સામાન્ય લોકો પોતાની ભાષામાં લોલીપોપ કહે છે...! ચૂંટણી સમયે અનેક લોકો એવા હોય છે જે નેતાજી દ્વારા કરવામાં આવતા પ્રચારને બારીકીથી નિરખતા હોય છે... 


ચૂંટણી નજીક આવતા કોઈ વખત નેતાજીની આંખોમાંથી આંસુ નિકળે છે તો કોઈ વખત કોઈ મંદિરની મુલાકાત નેતાઓ લઈ રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ચૂંટણીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે... આ રચના કોની છે તેની  ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો...       


લોલીપોપની લ્હાણી 

મગર આંસુએ સૂકી આંખે નેતાજી બેફામ રડે છે

બપોરી ઉનાળે નગરમાં ચૂનાવી મોસમ જામી છે


ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે

ખુરસીની રેસમાં, વચનો વેચવાની હોડ જામી છે


તક સાધુઓની મેલી રમત ઘર ગલીએ ભુવા ધૂણે

દેવસ્થાને દેવ દેવીએ પૂજાની હેલી જામી છે


વાહ મુંગાને બોલવાની રતાંધળાને જોવાની છે

દ્રષ્ટિ મળી ચૂંટણી પારકા પગે દોડની રેસ લાવી છે


કાંઠા કબાડે પાવરધાની ખુલી મોસમ ગોરખ ધંધે

ચૂંટણી ચકરાવે જનતા ચૂસે છે લોલીપોપની લ્હાણી 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.