Gujarati Literature - સાહિત્યના સમીપમાં ગુજરાતીઓને સમર્પિત એક રચના પ્રસ્તુત છે - સફળતાનો પીનકોડ ગુજરાતી...


  • Published By :
  • Published Date : 2024-03-26 18:05:49

વાતમાં વાતમાં આપણે અનેક વખત કહેતા હોઈશું કે અમે ગુજરાતી...ગુજરાતી હોવાનું અભિમાન અનેક લોકોને હોય છે. ગુજરાતીઓ માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓ ધંધો કરવામાં પાક્કા હોય...! પોતાને નુકસાન થાય તેવો સોદો તે કરતા નથી વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે ગુજરાતીઓને સમર્પિત એક રચના શેર કરવી છે જેના લેખક કોણ છે તેની ખબર નથી. જો તમને ખબર હોય કે આ રચના કોની છે તો અમને કમેન્ટમાં જણાવો... 



નમ્રતાનું બોનસાઇ ગુજરાતી... 


સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .


કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,

એકડાનો કરે બગડો ગુજરાતી .


નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,

સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .


લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,

વખત પડે ત્યાં ખડો ગુજરાતી .


દુશ્મનને પડે ભારે ગુજરાતી ,

ડૂબતાને બેશક તારે ગુજરાતી .


એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,

ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .


દેશમાં ABC ની હવા ગુજરાતી ,

પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .


પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,

કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .


ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,

પાનની સાયબા પિચકારી ગુજરાતી .


એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,

હર કદમ પર વેલકમ ગુજરાતી .


મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,

છેલ્લે અપનું વાળું ગુજરાતી .


ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,

ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.