Gujarati Literature - સાહિત્યના સમીપમાં ગુજરાતીઓને સમર્પિત એક રચના પ્રસ્તુત છે - સફળતાનો પીનકોડ ગુજરાતી...


  • Published By :
  • Published Date : 2024-03-26 18:05:49

વાતમાં વાતમાં આપણે અનેક વખત કહેતા હોઈશું કે અમે ગુજરાતી...ગુજરાતી હોવાનું અભિમાન અનેક લોકોને હોય છે. ગુજરાતીઓ માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓ ધંધો કરવામાં પાક્કા હોય...! પોતાને નુકસાન થાય તેવો સોદો તે કરતા નથી વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે ગુજરાતીઓને સમર્પિત એક રચના શેર કરવી છે જેના લેખક કોણ છે તેની ખબર નથી. જો તમને ખબર હોય કે આ રચના કોની છે તો અમને કમેન્ટમાં જણાવો... 



નમ્રતાનું બોનસાઇ ગુજરાતી... 


સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .


કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,

એકડાનો કરે બગડો ગુજરાતી .


નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,

સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .


લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,

વખત પડે ત્યાં ખડો ગુજરાતી .


દુશ્મનને પડે ભારે ગુજરાતી ,

ડૂબતાને બેશક તારે ગુજરાતી .


એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,

ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .


દેશમાં ABC ની હવા ગુજરાતી ,

પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .


પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,

કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .


ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,

પાનની સાયબા પિચકારી ગુજરાતી .


એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,

હર કદમ પર વેલકમ ગુજરાતી .


મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,

છેલ્લે અપનું વાળું ગુજરાતી .


ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,

ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે