Gujarati Literature - સાહિત્યના સમીપમાં ગુજરાતીઓને સમર્પિત એક રચના પ્રસ્તુત છે - સફળતાનો પીનકોડ ગુજરાતી...


  • Published By :
  • Published Date : 2024-03-26 18:05:49

વાતમાં વાતમાં આપણે અનેક વખત કહેતા હોઈશું કે અમે ગુજરાતી...ગુજરાતી હોવાનું અભિમાન અનેક લોકોને હોય છે. ગુજરાતીઓ માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓ ધંધો કરવામાં પાક્કા હોય...! પોતાને નુકસાન થાય તેવો સોદો તે કરતા નથી વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે ગુજરાતીઓને સમર્પિત એક રચના શેર કરવી છે જેના લેખક કોણ છે તેની ખબર નથી. જો તમને ખબર હોય કે આ રચના કોની છે તો અમને કમેન્ટમાં જણાવો... 



નમ્રતાનું બોનસાઇ ગુજરાતી... 


સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .


કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,

એકડાનો કરે બગડો ગુજરાતી .


નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,

સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .


લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,

વખત પડે ત્યાં ખડો ગુજરાતી .


દુશ્મનને પડે ભારે ગુજરાતી ,

ડૂબતાને બેશક તારે ગુજરાતી .


એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,

ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .


દેશમાં ABC ની હવા ગુજરાતી ,

પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .


પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,

કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .


ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,

પાનની સાયબા પિચકારી ગુજરાતી .


એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,

હર કદમ પર વેલકમ ગુજરાતી .


મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,

છેલ્લે અપનું વાળું ગુજરાતી .


ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,

ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.