Gujarati Literature - સાહિત્યના સમીપમાં ગુજરાતીઓને સમર્પિત એક રચના પ્રસ્તુત છે - સફળતાનો પીનકોડ ગુજરાતી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 18:05:49

વાતમાં વાતમાં આપણે અનેક વખત કહેતા હોઈશું કે અમે ગુજરાતી...ગુજરાતી હોવાનું અભિમાન અનેક લોકોને હોય છે. ગુજરાતીઓ માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓ ધંધો કરવામાં પાક્કા હોય...! પોતાને નુકસાન થાય તેવો સોદો તે કરતા નથી વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે ગુજરાતીઓને સમર્પિત એક રચના શેર કરવી છે જેના લેખક કોણ છે તેની ખબર નથી. જો તમને ખબર હોય કે આ રચના કોની છે તો અમને કમેન્ટમાં જણાવો... 



નમ્રતાનું બોનસાઇ ગુજરાતી... 


સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .


કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,

એકડાનો કરે બગડો ગુજરાતી .


નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,

સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .


લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,

વખત પડે ત્યાં ખડો ગુજરાતી .


દુશ્મનને પડે ભારે ગુજરાતી ,

ડૂબતાને બેશક તારે ગુજરાતી .


એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,

ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .


દેશમાં ABC ની હવા ગુજરાતી ,

પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .


પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,

કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .


ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,

પાનની સાયબા પિચકારી ગુજરાતી .


એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,

હર કદમ પર વેલકમ ગુજરાતી .


મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,

છેલ્લે અપનું વાળું ગુજરાતી .


ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,

ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.