Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મહિલાઓને સમર્પિત રચના - જે પાત્રમાં ઢાળો, ઢળી જશે...


  • Published By :
  • Published Date : 2024-03-08 12:14:45

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સામાન્ય રીતે આપણે પૂરૂષોને લઈ વાતો કરતા હોઈએ છીએ. પૂરૂષને પડતી મુશ્કેલી વિશે આપણો વાતો કરીએ છીએ, સામાન્ય રીતે આપણા ઘરોમાં પૂરૂષોનું ચાલતું હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાના માટે અવાજ ઉઠાવે છે તો તેમને બોલવા નથી દેવામાં આવતા! આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓનો કોઈ પોઈન્ટ ના હોય વગેરે વગેરે... પરિવારમાં સ્ત્રી એટલી બધી લીન થઈ જાય છે કે તે પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. પોતે કોણ છે, તેનું પોતાનું અલગ અસ્તિત્વ પણ હોય છે તે ભૂલી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સ્ત્રીને સમર્પિત એક રચના...


જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી

  

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,

દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી


જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત

તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી


છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં, 

મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી


મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ

પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી


કોશિશ સતત બધાને ખુશ રાખવાની 'અખ્તર' 

બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી


- અખ્તર  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.