Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મહિલાઓને સમર્પિત રચના - જે પાત્રમાં ઢાળો, ઢળી જશે...


  • Published By :
  • Published Date : 2024-03-08 12:14:45

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સામાન્ય રીતે આપણે પૂરૂષોને લઈ વાતો કરતા હોઈએ છીએ. પૂરૂષને પડતી મુશ્કેલી વિશે આપણો વાતો કરીએ છીએ, સામાન્ય રીતે આપણા ઘરોમાં પૂરૂષોનું ચાલતું હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાના માટે અવાજ ઉઠાવે છે તો તેમને બોલવા નથી દેવામાં આવતા! આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓનો કોઈ પોઈન્ટ ના હોય વગેરે વગેરે... પરિવારમાં સ્ત્રી એટલી બધી લીન થઈ જાય છે કે તે પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. પોતે કોણ છે, તેનું પોતાનું અલગ અસ્તિત્વ પણ હોય છે તે ભૂલી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સ્ત્રીને સમર્પિત એક રચના...


જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી

  

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,

દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી


જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત

તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી


છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં, 

મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી


મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ

પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી


કોશિશ સતત બધાને ખુશ રાખવાની 'અખ્તર' 

બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી


- અખ્તર  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.