Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મહિલાઓને સમર્પિત રચના - જે પાત્રમાં ઢાળો, ઢળી જશે...


  • Published By :
  • Published Date : 2024-03-08 12:14:45

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સામાન્ય રીતે આપણે પૂરૂષોને લઈ વાતો કરતા હોઈએ છીએ. પૂરૂષને પડતી મુશ્કેલી વિશે આપણો વાતો કરીએ છીએ, સામાન્ય રીતે આપણા ઘરોમાં પૂરૂષોનું ચાલતું હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાના માટે અવાજ ઉઠાવે છે તો તેમને બોલવા નથી દેવામાં આવતા! આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓનો કોઈ પોઈન્ટ ના હોય વગેરે વગેરે... પરિવારમાં સ્ત્રી એટલી બધી લીન થઈ જાય છે કે તે પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. પોતે કોણ છે, તેનું પોતાનું અલગ અસ્તિત્વ પણ હોય છે તે ભૂલી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સ્ત્રીને સમર્પિત એક રચના...


જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી

  

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,

દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી


જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત

તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી


છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં, 

મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી


મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ

પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી


કોશિશ સતત બધાને ખુશ રાખવાની 'અખ્તર' 

બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી


- અખ્તર  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.