Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મહિલાઓને સમર્પિત રચના - જે પાત્રમાં ઢાળો, ઢળી જશે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 12:14:45

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સામાન્ય રીતે આપણે પૂરૂષોને લઈ વાતો કરતા હોઈએ છીએ. પૂરૂષને પડતી મુશ્કેલી વિશે આપણો વાતો કરીએ છીએ, સામાન્ય રીતે આપણા ઘરોમાં પૂરૂષોનું ચાલતું હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાના માટે અવાજ ઉઠાવે છે તો તેમને બોલવા નથી દેવામાં આવતા! આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓનો કોઈ પોઈન્ટ ના હોય વગેરે વગેરે... પરિવારમાં સ્ત્રી એટલી બધી લીન થઈ જાય છે કે તે પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. પોતે કોણ છે, તેનું પોતાનું અલગ અસ્તિત્વ પણ હોય છે તે ભૂલી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સ્ત્રીને સમર્પિત એક રચના...


જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી

  

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,

દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી


જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત

તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી


છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં, 

મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી


મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ

પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી


કોશિશ સતત બધાને ખુશ રાખવાની 'અખ્તર' 

બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી


- અખ્તર  




પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..