Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડ મોઢાં હોય છે...


  • Published By :
  • Published Date : 2024-01-15 14:16:57

ગાંધીનગરમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તેનું પાલન માત્ર કાગળ પૂરતું સીમિત થઈ ગયું છે. હપ્તા લઈને પોલીસ દારૂના ભઠ્ઠાઓ ચાલવા દે છે તેવી વાતો પણ અનેક વખત થતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તે પણ જાણકારી હોય છે પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહે છે! 


ચંદ્રકાન્ત બક્ષીની રચના.... 

સરકાર જો ધારે તો શું ના કરાવી શકે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ કામ સરકાર માટે અસંભવ નથી. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર પર તેમણે કટાક્ષ કર્યો છે. સરકાર શું ના કરાવી શકે છે તેની વાત ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની રચનામાં કરી. સરકાર અવાજની માલિક છે.      


સરકાર... 

સરકારને કરોડ મોઢાં હોય છે


પણ એક આત્મા હોતો નથી


સરકાર અવાજની માલિક છે


સરકાર વિચાર કરાવી શકે છે


સરકાર લેખકને લખાવી શકે છે


જાદૂગરને રડાવી શકે છે


ચિત્રકારને ચિતરાવી શકે છે


ગાયકને ગવડાવી શકે છે


કલાકારને કળા કરાવી શકે છે


એક હાથે તાળી પડાવી શકે છે


રવિવારને સોમવાર બનાવી શકે છે


નવી પેઢીને જૂની કરી શકે છે


જૂનીને પૈસાદાર બનાવી શકે છે


પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે


વીજળી વેચી શકે છે


ઈતિહાસ દાટી શકે છે


અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે


સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે


સમય ફરે છે, માણસ ફરે છે


યંત્ર ફરે છે, મંત્ર ફરે છે


પણ, એક દિવસ ……


એક દિવસ ગરીબની આંખ ફરે છે


અને પછી, સરકાર ફરે છે.


– ચંદ્રકાંત બક્ષી




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.