Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડ મોઢાં હોય છે...


  • Published By :
  • Published Date : 2024-01-15 14:16:57

ગાંધીનગરમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તેનું પાલન માત્ર કાગળ પૂરતું સીમિત થઈ ગયું છે. હપ્તા લઈને પોલીસ દારૂના ભઠ્ઠાઓ ચાલવા દે છે તેવી વાતો પણ અનેક વખત થતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તે પણ જાણકારી હોય છે પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહે છે! 


ચંદ્રકાન્ત બક્ષીની રચના.... 

સરકાર જો ધારે તો શું ના કરાવી શકે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ કામ સરકાર માટે અસંભવ નથી. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર પર તેમણે કટાક્ષ કર્યો છે. સરકાર શું ના કરાવી શકે છે તેની વાત ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની રચનામાં કરી. સરકાર અવાજની માલિક છે.      


સરકાર... 

સરકારને કરોડ મોઢાં હોય છે


પણ એક આત્મા હોતો નથી


સરકાર અવાજની માલિક છે


સરકાર વિચાર કરાવી શકે છે


સરકાર લેખકને લખાવી શકે છે


જાદૂગરને રડાવી શકે છે


ચિત્રકારને ચિતરાવી શકે છે


ગાયકને ગવડાવી શકે છે


કલાકારને કળા કરાવી શકે છે


એક હાથે તાળી પડાવી શકે છે


રવિવારને સોમવાર બનાવી શકે છે


નવી પેઢીને જૂની કરી શકે છે


જૂનીને પૈસાદાર બનાવી શકે છે


પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે


વીજળી વેચી શકે છે


ઈતિહાસ દાટી શકે છે


અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે


સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે


સમય ફરે છે, માણસ ફરે છે


યંત્ર ફરે છે, મંત્ર ફરે છે


પણ, એક દિવસ ……


એક દિવસ ગરીબની આંખ ફરે છે


અને પછી, સરકાર ફરે છે.


– ચંદ્રકાંત બક્ષી




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.