Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડ મોઢાં હોય છે...


  • Published By :
  • Published Date : 2024-01-15 14:16:57

ગાંધીનગરમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તેનું પાલન માત્ર કાગળ પૂરતું સીમિત થઈ ગયું છે. હપ્તા લઈને પોલીસ દારૂના ભઠ્ઠાઓ ચાલવા દે છે તેવી વાતો પણ અનેક વખત થતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તે પણ જાણકારી હોય છે પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહે છે! 


ચંદ્રકાન્ત બક્ષીની રચના.... 

સરકાર જો ધારે તો શું ના કરાવી શકે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ કામ સરકાર માટે અસંભવ નથી. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર પર તેમણે કટાક્ષ કર્યો છે. સરકાર શું ના કરાવી શકે છે તેની વાત ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની રચનામાં કરી. સરકાર અવાજની માલિક છે.      


સરકાર... 

સરકારને કરોડ મોઢાં હોય છે


પણ એક આત્મા હોતો નથી


સરકાર અવાજની માલિક છે


સરકાર વિચાર કરાવી શકે છે


સરકાર લેખકને લખાવી શકે છે


જાદૂગરને રડાવી શકે છે


ચિત્રકારને ચિતરાવી શકે છે


ગાયકને ગવડાવી શકે છે


કલાકારને કળા કરાવી શકે છે


એક હાથે તાળી પડાવી શકે છે


રવિવારને સોમવાર બનાવી શકે છે


નવી પેઢીને જૂની કરી શકે છે


જૂનીને પૈસાદાર બનાવી શકે છે


પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે


વીજળી વેચી શકે છે


ઈતિહાસ દાટી શકે છે


અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે


સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે


સમય ફરે છે, માણસ ફરે છે


યંત્ર ફરે છે, મંત્ર ફરે છે


પણ, એક દિવસ ……


એક દિવસ ગરીબની આંખ ફરે છે


અને પછી, સરકાર ફરે છે.


– ચંદ્રકાંત બક્ષી




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે