Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે ચંદ્રકાન્ત બક્ષીની રચના - સરકારને કરોડ મોઢાં હોય છે...


  • Published By :
  • Published Date : 2024-01-15 14:16:57

ગાંધીનગરમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તેનું પાલન માત્ર કાગળ પૂરતું સીમિત થઈ ગયું છે. હપ્તા લઈને પોલીસ દારૂના ભઠ્ઠાઓ ચાલવા દે છે તેવી વાતો પણ અનેક વખત થતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તે પણ જાણકારી હોય છે પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહે છે! 


ચંદ્રકાન્ત બક્ષીની રચના.... 

સરકાર જો ધારે તો શું ના કરાવી શકે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ કામ સરકાર માટે અસંભવ નથી. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર પર તેમણે કટાક્ષ કર્યો છે. સરકાર શું ના કરાવી શકે છે તેની વાત ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની રચનામાં કરી. સરકાર અવાજની માલિક છે.      


સરકાર... 

સરકારને કરોડ મોઢાં હોય છે


પણ એક આત્મા હોતો નથી


સરકાર અવાજની માલિક છે


સરકાર વિચાર કરાવી શકે છે


સરકાર લેખકને લખાવી શકે છે


જાદૂગરને રડાવી શકે છે


ચિત્રકારને ચિતરાવી શકે છે


ગાયકને ગવડાવી શકે છે


કલાકારને કળા કરાવી શકે છે


એક હાથે તાળી પડાવી શકે છે


રવિવારને સોમવાર બનાવી શકે છે


નવી પેઢીને જૂની કરી શકે છે


જૂનીને પૈસાદાર બનાવી શકે છે


પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે


વીજળી વેચી શકે છે


ઈતિહાસ દાટી શકે છે


અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે


સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે


સમય ફરે છે, માણસ ફરે છે


યંત્ર ફરે છે, મંત્ર ફરે છે


પણ, એક દિવસ ……


એક દિવસ ગરીબની આંખ ફરે છે


અને પછી, સરકાર ફરે છે.


– ચંદ્રકાંત બક્ષી




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.