Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના - ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો


  • Published By :
  • Published Date : 2024-01-25 16:33:40

સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે કહી રહ્યા છે કે વધુ પડતું કંઈ પણ સારૂ નથી હોતું. અતિશય વરસાદ પણ સારો નથી હોતો અને દુકાળ પણ સારો નથી હોતો. માપસરમાં રહેલી વસ્તુઓ જ કામની હોય છે તેવી વાત કવિ કરી રહ્યા છે. માણસના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે પરંતુ તેનો કોઈ અણસાર નથી હોતો.  


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;

અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.


તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?

ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.


અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,

બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો


હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,

ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો


જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,

મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.


ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,

ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.


ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,

કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,

નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– શેખાદમ આબુવાલા…



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.