Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના - ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો


  • Published By :
  • Published Date : 2024-01-25 16:33:40

સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે કહી રહ્યા છે કે વધુ પડતું કંઈ પણ સારૂ નથી હોતું. અતિશય વરસાદ પણ સારો નથી હોતો અને દુકાળ પણ સારો નથી હોતો. માપસરમાં રહેલી વસ્તુઓ જ કામની હોય છે તેવી વાત કવિ કરી રહ્યા છે. માણસના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે પરંતુ તેનો કોઈ અણસાર નથી હોતો.  


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;

અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.


તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?

ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.


અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,

બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો


હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,

ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો


જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,

મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.


ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,

ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.


ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,

કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,

નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– શેખાદમ આબુવાલા…



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે