Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના - ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો


  • Published By :
  • Published Date : 2024-01-25 16:33:40

સાહિત્યના સમીપમાં આજે શેખાદમ આબુવાલાની રચના પ્રસ્તુત કરવી છે જેમાં તે કહી રહ્યા છે કે વધુ પડતું કંઈ પણ સારૂ નથી હોતું. અતિશય વરસાદ પણ સારો નથી હોતો અને દુકાળ પણ સારો નથી હોતો. માપસરમાં રહેલી વસ્તુઓ જ કામની હોય છે તેવી વાત કવિ કરી રહ્યા છે. માણસના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે પરંતુ તેનો કોઈ અણસાર નથી હોતો.  


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;

અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.


તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?

ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.


અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,

બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો


હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,

ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો


જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,

મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.


ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,

ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.


ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,

કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.


ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,

નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

– શેખાદમ આબુવાલા…



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.