Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે હિતેન આનંદપરાની રચના પ્રસ્તુત કરવી છે - એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે


  • Published By :
  • Published Date : 2024-02-10 15:41:52

પથ્થરને જેટલો વધારે મારવામાં આવે તો તે શિલ્પ બહુ સારૂ બને. જેટલો પથ્થર હથોડીનો માર સહન કરે છે તે પથ્થરમાંથી સારી મૂર્તિ આકાર પામે છે. તેવી જ રીતે જિંદગીને પણ જેટલો સારો આકાર આપવો હોય તેટલી મઠારવી પડે છે. બાળક જ્યાં સુધી નાનું છે ત્યાં સુધી તેને બાળક રહેવા દેવું જોઈએ. બાળકને ખુલ્લાપણામાં શ્વાસ લેવા દે.. 


જો વધારે પૈસા હોય તો તેનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે પણ કવિ પોતાની રચનામાં જણાવી રહ્યા છે. વધારે લોકો હાજર હોય ત્યારે દોસ્તોનો મજાક અનેક લોકો ઉડાડતા હોય છે પરંતુ બધાની હાજરીમાં તેની ખાનદાનીનો મલાજો રાખવાનો કવિ કહી રહ્યા છે. બધાની હાજરીમાં એમનો ઉપહાસ ન કરવી તેવું કવિ કહી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે હિતેન આનંદપરાની રચના...  



હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે... 

   

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે

જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે...


ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો

શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે...


બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,

એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.


પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,

કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.


વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,

તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.


મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.

ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.


જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,

બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.


તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,

તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.


પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,

હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.


– હિતેન આનંદપરા



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.