Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે હિતેન આનંદપરાની રચના પ્રસ્તુત કરવી છે - એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 15:41:52

પથ્થરને જેટલો વધારે મારવામાં આવે તો તે શિલ્પ બહુ સારૂ બને. જેટલો પથ્થર હથોડીનો માર સહન કરે છે તે પથ્થરમાંથી સારી મૂર્તિ આકાર પામે છે. તેવી જ રીતે જિંદગીને પણ જેટલો સારો આકાર આપવો હોય તેટલી મઠારવી પડે છે. બાળક જ્યાં સુધી નાનું છે ત્યાં સુધી તેને બાળક રહેવા દેવું જોઈએ. બાળકને ખુલ્લાપણામાં શ્વાસ લેવા દે.. 


જો વધારે પૈસા હોય તો તેનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે પણ કવિ પોતાની રચનામાં જણાવી રહ્યા છે. વધારે લોકો હાજર હોય ત્યારે દોસ્તોનો મજાક અનેક લોકો ઉડાડતા હોય છે પરંતુ બધાની હાજરીમાં તેની ખાનદાનીનો મલાજો રાખવાનો કવિ કહી રહ્યા છે. બધાની હાજરીમાં એમનો ઉપહાસ ન કરવી તેવું કવિ કહી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે હિતેન આનંદપરાની રચના...  



હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે... 

   

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે

જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે...


ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો

શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે...


બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,

એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.


પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,

કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.


વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,

તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.


મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.

ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.


જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,

બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.


તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,

તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.


પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,

હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.


– હિતેન આનંદપરા



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.