Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના - તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની...


  • Published By :
  • Published Date : 2024-08-12 18:40:54

ભ્રષ્ટાચાર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નામનો સડો એ રીતે પેઠો છે કે તેનો જડમૂડથી નાશ કરવો જાણે અસંભવ લાગે છે.. કરપ્શન આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું હોય તેવું લાગે.. જ્યારે કોઈ ઈમારત બનાવી હોય, બ્રિજ બનાવાનો હોય ત્યારે તેની ગુણવત્તા કરતા આપણને કેટલા પૈસા મળશે તેના વિચાર લોકો વધારે કરે છે.. વર્ષો સુધી આ વસ્તુ ચાલશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર થોડા જ મહિનાઓની અંદર તે વસ્તુ ખરાબ થઈ જાય છે. પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં ભ્રષ્ટાચારીઓ દેશને બરબાદ કરી રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈ વાત કરી છે..  



તમને જરૂર છે ટેકાની ભાઇ મારા

અમને જરૂર છે કેશની (રોકડા ની) !

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા

આ વર્ષોની વાર્તાયું મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય

બસ એટલો જ ભરવો છે થેલો

દો’વા દે ત્યાં લગી જ

આરતીયું ઊતરે છે

કાળી ડિબાંગ આ ભેંશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે

હવે ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો

અમને ક્યાં વાંધો છે ?

પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર

આપી દ્યો એજન્સી ગેસની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ

વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો

અહીં અદ્દલ ભજવશે ઇ રોલ

નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –

ભલે આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !


- કૃષ્ણ દવે 



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.