Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના - તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની...


  • Published By :
  • Published Date : 2024-08-12 18:40:54

ભ્રષ્ટાચાર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નામનો સડો એ રીતે પેઠો છે કે તેનો જડમૂડથી નાશ કરવો જાણે અસંભવ લાગે છે.. કરપ્શન આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું હોય તેવું લાગે.. જ્યારે કોઈ ઈમારત બનાવી હોય, બ્રિજ બનાવાનો હોય ત્યારે તેની ગુણવત્તા કરતા આપણને કેટલા પૈસા મળશે તેના વિચાર લોકો વધારે કરે છે.. વર્ષો સુધી આ વસ્તુ ચાલશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર થોડા જ મહિનાઓની અંદર તે વસ્તુ ખરાબ થઈ જાય છે. પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં ભ્રષ્ટાચારીઓ દેશને બરબાદ કરી રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈ વાત કરી છે..  



તમને જરૂર છે ટેકાની ભાઇ મારા

અમને જરૂર છે કેશની (રોકડા ની) !

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા

આ વર્ષોની વાર્તાયું મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય

બસ એટલો જ ભરવો છે થેલો

દો’વા દે ત્યાં લગી જ

આરતીયું ઊતરે છે

કાળી ડિબાંગ આ ભેંશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે

હવે ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો

અમને ક્યાં વાંધો છે ?

પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર

આપી દ્યો એજન્સી ગેસની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ

વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો

અહીં અદ્દલ ભજવશે ઇ રોલ

નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –

ભલે આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !


- કૃષ્ણ દવે 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.