Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના - તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની...


  • Published By :
  • Published Date : 2024-08-12 18:40:54

ભ્રષ્ટાચાર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નામનો સડો એ રીતે પેઠો છે કે તેનો જડમૂડથી નાશ કરવો જાણે અસંભવ લાગે છે.. કરપ્શન આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું હોય તેવું લાગે.. જ્યારે કોઈ ઈમારત બનાવી હોય, બ્રિજ બનાવાનો હોય ત્યારે તેની ગુણવત્તા કરતા આપણને કેટલા પૈસા મળશે તેના વિચાર લોકો વધારે કરે છે.. વર્ષો સુધી આ વસ્તુ ચાલશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર થોડા જ મહિનાઓની અંદર તે વસ્તુ ખરાબ થઈ જાય છે. પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં ભ્રષ્ટાચારીઓ દેશને બરબાદ કરી રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈ વાત કરી છે..  



તમને જરૂર છે ટેકાની ભાઇ મારા

અમને જરૂર છે કેશની (રોકડા ની) !

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા

આ વર્ષોની વાર્તાયું મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય

બસ એટલો જ ભરવો છે થેલો

દો’વા દે ત્યાં લગી જ

આરતીયું ઊતરે છે

કાળી ડિબાંગ આ ભેંશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે

હવે ચોકમાં દાણા તો નાખો

ગમ્મે તે કામ કરો

અમને ક્યાં વાંધો છે ?

પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર

આપી દ્યો એજન્સી ગેસની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ

વાગે છે નીત નવાં ઢોલ

જેને જે સોંપાશે એવો ને એવો

અહીં અદ્દલ ભજવશે ઇ રોલ

નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –

ભલે આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથ્થારી ફેરવીએ દેશની !


- કૃષ્ણ દવે 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.