Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના - હું શિક્ષક છું...


  • Published By :
  • Published Date : 2024-06-19 17:08:08

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં... દેશના ભાવિનું ઘડતર શિક્ષક કરે છે... દેશના ભાવિનું ભવિષ્ય શિક્ષક શિક્ષણ આપી ઉજ્જવળ બનાવે છે. જ્યારે આપણે શિક્ષકને મળીએ છીએ ત્યારે આપો આપ આપણું માથું તેમના સન્માનમાં ઝૂકી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત છે રચના... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 




અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું,

કારણ કે હું શિક્ષક છું.

ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું, 

કારણ કે હું શિક્ષક છું..


દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું,

કારણ કે હું શિક્ષક છું,

નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું.

કારણ કે હું શિક્ષક છું,

દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું,

કારણ કે હું શિક્ષક છું.



ક્યારેક બાળકોને ગુરૂં બનાવું છું,

કારણ કે હું શિક્ષક છું.

છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય ક્યાંક હું રહી જાઉં છું, વેગડો

કારણ કે હું શિક્ષક છું.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.