Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,


  • Published By :
  • Published Date : 2024-02-27 17:36:57

આપણે અનેક વખત જોયું હશે કે માણસની કદર તેના ગયા પછી થતી હોય છે. આપણે વર્તમાન કરતા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં રહેતા હોઈએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ અમર નથી પરંતુ જ્યારે કોઈ માણસ ચીર વિદાય લે છે ત્યારે દુ:ખ થાય છે. રચનામાં કવિ પ્રેમની વાત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે પ્રેમમાં પ્રેમી એટલો પાગલ થઈ જાય છે કે તે કઈ ગલીમાં જઈ રહ્યો છે તેની ખબર નથી હોતી...! સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝની રચના. 


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?


જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,

અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.


ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,

પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?

આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!


પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,

તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.


આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,

શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!


આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


-મરીઝ

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે