Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 17:36:57

આપણે અનેક વખત જોયું હશે કે માણસની કદર તેના ગયા પછી થતી હોય છે. આપણે વર્તમાન કરતા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં રહેતા હોઈએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ અમર નથી પરંતુ જ્યારે કોઈ માણસ ચીર વિદાય લે છે ત્યારે દુ:ખ થાય છે. રચનામાં કવિ પ્રેમની વાત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે પ્રેમમાં પ્રેમી એટલો પાગલ થઈ જાય છે કે તે કઈ ગલીમાં જઈ રહ્યો છે તેની ખબર નથી હોતી...! સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝની રચના. 


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?


જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,

અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.


ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,

પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?

આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!


પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,

તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.


આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,

શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!


આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


-મરીઝ

  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..