Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,


  • Published By :
  • Published Date : 2024-02-27 17:36:57

આપણે અનેક વખત જોયું હશે કે માણસની કદર તેના ગયા પછી થતી હોય છે. આપણે વર્તમાન કરતા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં રહેતા હોઈએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ અમર નથી પરંતુ જ્યારે કોઈ માણસ ચીર વિદાય લે છે ત્યારે દુ:ખ થાય છે. રચનામાં કવિ પ્રેમની વાત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે પ્રેમમાં પ્રેમી એટલો પાગલ થઈ જાય છે કે તે કઈ ગલીમાં જઈ રહ્યો છે તેની ખબર નથી હોતી...! સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝની રચના. 


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?


જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,

અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.


ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,

પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?

આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!


પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,

તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.


આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,

શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!


આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


-મરીઝ

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.