Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝની રચના - જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,


  • Published By :
  • Published Date : 2024-02-27 17:36:57

આપણે અનેક વખત જોયું હશે કે માણસની કદર તેના ગયા પછી થતી હોય છે. આપણે વર્તમાન કરતા ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં રહેતા હોઈએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ અમર નથી પરંતુ જ્યારે કોઈ માણસ ચીર વિદાય લે છે ત્યારે દુ:ખ થાય છે. રચનામાં કવિ પ્રેમની વાત કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે પ્રેમમાં પ્રેમી એટલો પાગલ થઈ જાય છે કે તે કઈ ગલીમાં જઈ રહ્યો છે તેની ખબર નથી હોતી...! સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝની રચના. 


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?


જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,

અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.


ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,

પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.


ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?

આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!


પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,

તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.


આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,

શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!


આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,

પૂરી જે થાય એવી જીવનની સફર નથી.


-મરીઝ

  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"