Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના - હું ક્યાં કહું છું આપની...


  • Published By :
  • Published Date : 2024-06-24 15:35:12

જ્યારે કોઈને ના પાડવાની આવે છે તે કામ સૌથી અઘરૂં સાબિત થાય છે અનેક લોકો માટે.. શું કહીને ના પાડવી તેની મુંઝવણ હોતી હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના હું ક્યાં કહું છું આપની...જો તમે ગુજરાતી રચનાના, ગઝલ, મુક્તક કે નજમના શોખીન હશો તો તમે આ રચના સાંભળી જ હશે...  


હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.


પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.


એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.


આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,

હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.


મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.


ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,

એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.


પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ



ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે.

ભારતમાં કોરોનાના નવા બે વેરિયન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો .