Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તોને સમર્પિત રચના - એ દોસ્ત....


  • Published By :
  • Published Date : 2024-06-08 18:13:56

જે આપણા શબ્દોને સમજી શકે તે આપણા સગા અને જે આપણા મૌનને સમજી શકે તે આપણા મિત્ર.. આપણા જીવનમાં મિત્રનું સ્થાન શું છે તે કહેવાની જરૂરત નથી.. પરિવારજનો આપણે પસંદ નથી કરી શકતા પરંતુ મિત્રો આપણે જાતે પસંદ કરીએ છીએ.. મિત્ર વગર જીવન અધૂરૂં લાગે છે. આપણે જેની સાથે દિલની વાતો શેર કરી શકીએ તે મિત્ર હોય છે. કહેવાય છે કે બહુ બધા મિત્રો હોવા જરૂરી નથી.. એક સાચો મિત્ર હોયને સાથે તો પણ કાફી છે. આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે છે એટલે મિત્રોને સમર્પિત એક રચના સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..    



તું ટીપાં માટે તરસે

અને એ દરિયો પીરસે

એ દોસ્ત


તારી ખુશીમાં વણાય,

ને તારા આંસુમાં તણાય,

એ દોસ્ત


તને મોડી રાત્રે જગાડે,

મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,

એ દોસ્ત


તારી હસી મજાક ઉડાડે

નિરાશ જોઈ દુનિયા ઉપાડે

એ દોસ્ત..


જાણે મુંઝાયેલા મનની વાત

સાથે બેસે તો ટૂંકી પડે રાત

એ દોસ્ત


તેનાથી પલ દૂર ના જવાય,

જીંદગીમાં જે ના ભૂલાય

એ દોસ્ત 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.