Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તોને સમર્પિત રચના - એ દોસ્ત....


  • Published By :
  • Published Date : 2024-06-08 18:13:56

જે આપણા શબ્દોને સમજી શકે તે આપણા સગા અને જે આપણા મૌનને સમજી શકે તે આપણા મિત્ર.. આપણા જીવનમાં મિત્રનું સ્થાન શું છે તે કહેવાની જરૂરત નથી.. પરિવારજનો આપણે પસંદ નથી કરી શકતા પરંતુ મિત્રો આપણે જાતે પસંદ કરીએ છીએ.. મિત્ર વગર જીવન અધૂરૂં લાગે છે. આપણે જેની સાથે દિલની વાતો શેર કરી શકીએ તે મિત્ર હોય છે. કહેવાય છે કે બહુ બધા મિત્રો હોવા જરૂરી નથી.. એક સાચો મિત્ર હોયને સાથે તો પણ કાફી છે. આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે છે એટલે મિત્રોને સમર્પિત એક રચના સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..    



તું ટીપાં માટે તરસે

અને એ દરિયો પીરસે

એ દોસ્ત


તારી ખુશીમાં વણાય,

ને તારા આંસુમાં તણાય,

એ દોસ્ત


તને મોડી રાત્રે જગાડે,

મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,

એ દોસ્ત


તારી હસી મજાક ઉડાડે

નિરાશ જોઈ દુનિયા ઉપાડે

એ દોસ્ત..


જાણે મુંઝાયેલા મનની વાત

સાથે બેસે તો ટૂંકી પડે રાત

એ દોસ્ત


તેનાથી પલ દૂર ના જવાય,

જીંદગીમાં જે ના ભૂલાય

એ દોસ્ત 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.