Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તોને સમર્પિત રચના - એ દોસ્ત....


  • Published By :
  • Published Date : 2024-06-08 18:13:56

જે આપણા શબ્દોને સમજી શકે તે આપણા સગા અને જે આપણા મૌનને સમજી શકે તે આપણા મિત્ર.. આપણા જીવનમાં મિત્રનું સ્થાન શું છે તે કહેવાની જરૂરત નથી.. પરિવારજનો આપણે પસંદ નથી કરી શકતા પરંતુ મિત્રો આપણે જાતે પસંદ કરીએ છીએ.. મિત્ર વગર જીવન અધૂરૂં લાગે છે. આપણે જેની સાથે દિલની વાતો શેર કરી શકીએ તે મિત્ર હોય છે. કહેવાય છે કે બહુ બધા મિત્રો હોવા જરૂરી નથી.. એક સાચો મિત્ર હોયને સાથે તો પણ કાફી છે. આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે છે એટલે મિત્રોને સમર્પિત એક રચના સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..    



તું ટીપાં માટે તરસે

અને એ દરિયો પીરસે

એ દોસ્ત


તારી ખુશીમાં વણાય,

ને તારા આંસુમાં તણાય,

એ દોસ્ત


તને મોડી રાત્રે જગાડે,

મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,

એ દોસ્ત


તારી હસી મજાક ઉડાડે

નિરાશ જોઈ દુનિયા ઉપાડે

એ દોસ્ત..


જાણે મુંઝાયેલા મનની વાત

સાથે બેસે તો ટૂંકી પડે રાત

એ દોસ્ત


તેનાથી પલ દૂર ના જવાય,

જીંદગીમાં જે ના ભૂલાય

એ દોસ્ત 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.