Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તોને સમર્પિત રચના - એ દોસ્ત....


  • Published By :
  • Published Date : 2024-06-08 18:13:56

જે આપણા શબ્દોને સમજી શકે તે આપણા સગા અને જે આપણા મૌનને સમજી શકે તે આપણા મિત્ર.. આપણા જીવનમાં મિત્રનું સ્થાન શું છે તે કહેવાની જરૂરત નથી.. પરિવારજનો આપણે પસંદ નથી કરી શકતા પરંતુ મિત્રો આપણે જાતે પસંદ કરીએ છીએ.. મિત્ર વગર જીવન અધૂરૂં લાગે છે. આપણે જેની સાથે દિલની વાતો શેર કરી શકીએ તે મિત્ર હોય છે. કહેવાય છે કે બહુ બધા મિત્રો હોવા જરૂરી નથી.. એક સાચો મિત્ર હોયને સાથે તો પણ કાફી છે. આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે છે એટલે મિત્રોને સમર્પિત એક રચના સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..    



તું ટીપાં માટે તરસે

અને એ દરિયો પીરસે

એ દોસ્ત


તારી ખુશીમાં વણાય,

ને તારા આંસુમાં તણાય,

એ દોસ્ત


તને મોડી રાત્રે જગાડે,

મુશ્કેલીમાં ભગવાન ઉઠાડે,

એ દોસ્ત


તારી હસી મજાક ઉડાડે

નિરાશ જોઈ દુનિયા ઉપાડે

એ દોસ્ત..


જાણે મુંઝાયેલા મનની વાત

સાથે બેસે તો ટૂંકી પડે રાત

એ દોસ્ત


તેનાથી પલ દૂર ના જવાય,

જીંદગીમાં જે ના ભૂલાય

એ દોસ્ત 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.