Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે જિંદગીને સમર્પિત રચના - રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી...


  • Published By :
  • Published Date : 2024-03-13 17:20:50

આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક ગુરૂઓ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખતા હોઈએ છીએ. રોજે નવો અનુભવ થતો હોય છે અને રોજ જીંદગી જીવવા જેવી લાગે છે. રોજ સવારે સૂરજ ઉગે છે અને આપણે આપણા સપનાની દોડ પાછળ ભાગવા લાગીએ છીએ. જિંદગીની સફરમાં અનેક લોકો એવા પણ મળતા હોય છે પ્રેમ આપતા હોય છે અને કોઈ એવા પણ મળતા હોય છે જે આપણને નફરત પણ કરતા હોય છે. જિંદગીની કિંમત આપણને ત્યારે થાય છે જ્યારે આપણે મરણ પથારી પર હોઈએ છીએ. એ વખતે આપણને ખબર પડે કે જીવનમાં જોવા લાયક કેટલી વસ્તુઓ હતી પરંતુ આપણે આપણા જીવનને વેડફી નાખ્યું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી.... 


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


ગણતરી પૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,

કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.


સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,

દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.


આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,

ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.


– સ્નેહા પટેલ “અક્ષિતારક”



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"