Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે જિંદગીને સમર્પિત રચના - રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી...


  • Published By :
  • Published Date : 2024-03-13 17:20:50

આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક ગુરૂઓ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખતા હોઈએ છીએ. રોજે નવો અનુભવ થતો હોય છે અને રોજ જીંદગી જીવવા જેવી લાગે છે. રોજ સવારે સૂરજ ઉગે છે અને આપણે આપણા સપનાની દોડ પાછળ ભાગવા લાગીએ છીએ. જિંદગીની સફરમાં અનેક લોકો એવા પણ મળતા હોય છે પ્રેમ આપતા હોય છે અને કોઈ એવા પણ મળતા હોય છે જે આપણને નફરત પણ કરતા હોય છે. જિંદગીની કિંમત આપણને ત્યારે થાય છે જ્યારે આપણે મરણ પથારી પર હોઈએ છીએ. એ વખતે આપણને ખબર પડે કે જીવનમાં જોવા લાયક કેટલી વસ્તુઓ હતી પરંતુ આપણે આપણા જીવનને વેડફી નાખ્યું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી.... 


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


ગણતરી પૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,

કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.


સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,

દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.


આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,

ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.


– સ્નેહા પટેલ “અક્ષિતારક”



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.