Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે જિંદગીને સમર્પિત રચના - રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી...


  • Published By :
  • Published Date : 2024-03-13 17:20:50

આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક ગુરૂઓ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખતા હોઈએ છીએ. રોજે નવો અનુભવ થતો હોય છે અને રોજ જીંદગી જીવવા જેવી લાગે છે. રોજ સવારે સૂરજ ઉગે છે અને આપણે આપણા સપનાની દોડ પાછળ ભાગવા લાગીએ છીએ. જિંદગીની સફરમાં અનેક લોકો એવા પણ મળતા હોય છે પ્રેમ આપતા હોય છે અને કોઈ એવા પણ મળતા હોય છે જે આપણને નફરત પણ કરતા હોય છે. જિંદગીની કિંમત આપણને ત્યારે થાય છે જ્યારે આપણે મરણ પથારી પર હોઈએ છીએ. એ વખતે આપણને ખબર પડે કે જીવનમાં જોવા લાયક કેટલી વસ્તુઓ હતી પરંતુ આપણે આપણા જીવનને વેડફી નાખ્યું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી.... 


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


ગણતરી પૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,

કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.


સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,

દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.


આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,

ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.


– સ્નેહા પટેલ “અક્ષિતારક”



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.