Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે જિંદગીને સમર્પિત રચના - રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી...


  • Published By :
  • Published Date : 2024-03-13 17:20:50

આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક ગુરૂઓ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખતા હોઈએ છીએ. રોજે નવો અનુભવ થતો હોય છે અને રોજ જીંદગી જીવવા જેવી લાગે છે. રોજ સવારે સૂરજ ઉગે છે અને આપણે આપણા સપનાની દોડ પાછળ ભાગવા લાગીએ છીએ. જિંદગીની સફરમાં અનેક લોકો એવા પણ મળતા હોય છે પ્રેમ આપતા હોય છે અને કોઈ એવા પણ મળતા હોય છે જે આપણને નફરત પણ કરતા હોય છે. જિંદગીની કિંમત આપણને ત્યારે થાય છે જ્યારે આપણે મરણ પથારી પર હોઈએ છીએ. એ વખતે આપણને ખબર પડે કે જીવનમાં જોવા લાયક કેટલી વસ્તુઓ હતી પરંતુ આપણે આપણા જીવનને વેડફી નાખ્યું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી.... 


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


ગણતરી પૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,

કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.


સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,

દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.


આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,

ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.


– સ્નેહા પટેલ “અક્ષિતારક”



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે