Gujarati Literature- સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - હું હિમાલય જેવો અડગ છું...


  • Published By :
  • Published Date : 2024-02-20 16:38:09

આપણે ત્યાં કેહવાય છે કે જે વ્યક્તિ પોતાની વાત પર મક્કમ હોય છે, અડગ હોય છે તેને કોઈ નમાવી શક્તો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ તે પોતાની વાત પર મક્કમ હોય છે.! સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કુશની રચના જેમાં તેમણે હું પર ભાર મૂક્યો છે. 


હું હિમાલય જેવો અડગ છું


હું હિમાલય જેવો અડગ છું

એમ કઈ હું કોઈથી ડગું નહિ.

સુરજના કિરણો થી હું કદી

બરફ બની પીગળું નહિ.

સમયની થપાટ ઉર પર લઇ

હું કદી રતીભાર પણ બટકું નહિ.

નદીયું છે મારા પર જ નિર્ભર

રડીને કદી એને છલકાવું નહિ.

ભડભાદર થઇ ને પડ્યો છું

અંતરને કદી ગણકારું નહિ.

હું સફેદને દુધે મઢેલો

રંગોને કદી પહેચાનું નહિ.

પવન માથા પછાડે કેટલા

તસુભાર પણ હું હલું નહિ.

હું છું પ્રકૃતિનો આધાર

કોઈને નિરાધાર કરું નહિ.

કાવાદાવા જોયા નજરું સામે

માનવ કદી હું થાવ નહિ.

એકલો છું પણ અખૂટ છું

તાબે કોઈ ના થાવ નહિ.

સંત જેવો જીવ છે મારો

મોહતાજ કોઈ નો થાવ નહિ.

મહાદેવ નો વાસ છે જ્યાં

નહિ તો હું કદી નમું નહિ.


-કુશ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે