Gujarati Literature- સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - હું હિમાલય જેવો અડગ છું...


  • Published By :
  • Published Date : 2024-02-20 16:38:09

આપણે ત્યાં કેહવાય છે કે જે વ્યક્તિ પોતાની વાત પર મક્કમ હોય છે, અડગ હોય છે તેને કોઈ નમાવી શક્તો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ તે પોતાની વાત પર મક્કમ હોય છે.! સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કુશની રચના જેમાં તેમણે હું પર ભાર મૂક્યો છે. 


હું હિમાલય જેવો અડગ છું


હું હિમાલય જેવો અડગ છું

એમ કઈ હું કોઈથી ડગું નહિ.

સુરજના કિરણો થી હું કદી

બરફ બની પીગળું નહિ.

સમયની થપાટ ઉર પર લઇ

હું કદી રતીભાર પણ બટકું નહિ.

નદીયું છે મારા પર જ નિર્ભર

રડીને કદી એને છલકાવું નહિ.

ભડભાદર થઇ ને પડ્યો છું

અંતરને કદી ગણકારું નહિ.

હું સફેદને દુધે મઢેલો

રંગોને કદી પહેચાનું નહિ.

પવન માથા પછાડે કેટલા

તસુભાર પણ હું હલું નહિ.

હું છું પ્રકૃતિનો આધાર

કોઈને નિરાધાર કરું નહિ.

કાવાદાવા જોયા નજરું સામે

માનવ કદી હું થાવ નહિ.

એકલો છું પણ અખૂટ છું

તાબે કોઈ ના થાવ નહિ.

સંત જેવો જીવ છે મારો

મોહતાજ કોઈ નો થાવ નહિ.

મહાદેવ નો વાસ છે જ્યાં

નહિ તો હું કદી નમું નહિ.


-કુશ 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.