Gujarati Literature- સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - હું હિમાલય જેવો અડગ છું...


  • Published By :
  • Published Date : 2024-02-20 16:38:09

આપણે ત્યાં કેહવાય છે કે જે વ્યક્તિ પોતાની વાત પર મક્કમ હોય છે, અડગ હોય છે તેને કોઈ નમાવી શક્તો નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ તે પોતાની વાત પર મક્કમ હોય છે.! સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કુશની રચના જેમાં તેમણે હું પર ભાર મૂક્યો છે. 


હું હિમાલય જેવો અડગ છું


હું હિમાલય જેવો અડગ છું

એમ કઈ હું કોઈથી ડગું નહિ.

સુરજના કિરણો થી હું કદી

બરફ બની પીગળું નહિ.

સમયની થપાટ ઉર પર લઇ

હું કદી રતીભાર પણ બટકું નહિ.

નદીયું છે મારા પર જ નિર્ભર

રડીને કદી એને છલકાવું નહિ.

ભડભાદર થઇ ને પડ્યો છું

અંતરને કદી ગણકારું નહિ.

હું સફેદને દુધે મઢેલો

રંગોને કદી પહેચાનું નહિ.

પવન માથા પછાડે કેટલા

તસુભાર પણ હું હલું નહિ.

હું છું પ્રકૃતિનો આધાર

કોઈને નિરાધાર કરું નહિ.

કાવાદાવા જોયા નજરું સામે

માનવ કદી હું થાવ નહિ.

એકલો છું પણ અખૂટ છું

તાબે કોઈ ના થાવ નહિ.

સંત જેવો જીવ છે મારો

મોહતાજ કોઈ નો થાવ નહિ.

મહાદેવ નો વાસ છે જ્યાં

નહિ તો હું કદી નમું નહિ.


-કુશ 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે