Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના - હું શિક્ષક છું, હું સર્જક છું..


  • Published By :
  • Published Date : 2024-09-07 15:31:45

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે. ભાવિ પેઢીની જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. ગુરૂના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે..દરેક ગુરૂજનોને કોટિ કોટિ નમન.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને તમારા શિક્ષકની કઈ વાત યાદ છે તે અમને કમેન્ટમાં જણાવજો..      



હું શિક્ષક છું, હું સર્જક છું..

હોય ભલેને ઘનઘોર વાદળ

આશાનું કિરણ રેલાવી જાણું છું

હું શિક્ષક છું..


બનીને સાચો ભોમિયો બાળકને 

સાચી રાહ દેખાડી જાણું છું

હું માર્ગદર્શક છું.. હું શિક્ષક છું..


હોય ભલેને થોડાક મુદ્દા 

એનો વિસ્તાર કરી જાણું છું

હું શિક્ષક છું..


જ્ઞાનનો પથ બતાવીને જ્ઞાનપથ બનાવી જાણું છું

હું પથદર્શક છું.. હું શિક્ષક છું...


મુશ્કેલીઓ સામે અડગ રહી

લડત શીખવી વીર યોદ્ધા 

બનાવી જાણું છું.. હું શિક્ષક છું..


જ્ઞાનનો ઉજાસ પાથરી

તિમિરને દૂર કરૂં છું

હું અજ્ઞાનતાનો ભક્ષક છું... હું શિક્ષક છું..


આપી ઉરના આશિષ

પ્રાર્થના હું કરૂં છું 

હું શુભકામનાઓનો પ્રેષક છું.. હું શિક્ષક છું..


નિર્દોષ અને નિખાલસ મારા 

બાળદેવોના પ્રેમનો ભિક્ષુક છું.. હું શિક્ષક છું..



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.