Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના - હું શિક્ષક છું, હું સર્જક છું..


  • Published By :
  • Published Date : 2024-09-07 15:31:45

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે. ભાવિ પેઢીની જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. ગુરૂના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે..દરેક ગુરૂજનોને કોટિ કોટિ નમન.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને તમારા શિક્ષકની કઈ વાત યાદ છે તે અમને કમેન્ટમાં જણાવજો..      



હું શિક્ષક છું, હું સર્જક છું..

હોય ભલેને ઘનઘોર વાદળ

આશાનું કિરણ રેલાવી જાણું છું

હું શિક્ષક છું..


બનીને સાચો ભોમિયો બાળકને 

સાચી રાહ દેખાડી જાણું છું

હું માર્ગદર્શક છું.. હું શિક્ષક છું..


હોય ભલેને થોડાક મુદ્દા 

એનો વિસ્તાર કરી જાણું છું

હું શિક્ષક છું..


જ્ઞાનનો પથ બતાવીને જ્ઞાનપથ બનાવી જાણું છું

હું પથદર્શક છું.. હું શિક્ષક છું...


મુશ્કેલીઓ સામે અડગ રહી

લડત શીખવી વીર યોદ્ધા 

બનાવી જાણું છું.. હું શિક્ષક છું..


જ્ઞાનનો ઉજાસ પાથરી

તિમિરને દૂર કરૂં છું

હું અજ્ઞાનતાનો ભક્ષક છું... હું શિક્ષક છું..


આપી ઉરના આશિષ

પ્રાર્થના હું કરૂં છું 

હું શુભકામનાઓનો પ્રેષક છું.. હું શિક્ષક છું..


નિર્દોષ અને નિખાલસ મારા 

બાળદેવોના પ્રેમનો ભિક્ષુક છું.. હું શિક્ષક છું..



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?