Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના - હું શિક્ષક છું, હું સર્જક છું..


  • Published By :
  • Published Date : 2024-09-07 15:31:45

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે. ભાવિ પેઢીની જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. ગુરૂના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે..દરેક ગુરૂજનોને કોટિ કોટિ નમન.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને તમારા શિક્ષકની કઈ વાત યાદ છે તે અમને કમેન્ટમાં જણાવજો..      



હું શિક્ષક છું, હું સર્જક છું..

હોય ભલેને ઘનઘોર વાદળ

આશાનું કિરણ રેલાવી જાણું છું

હું શિક્ષક છું..


બનીને સાચો ભોમિયો બાળકને 

સાચી રાહ દેખાડી જાણું છું

હું માર્ગદર્શક છું.. હું શિક્ષક છું..


હોય ભલેને થોડાક મુદ્દા 

એનો વિસ્તાર કરી જાણું છું

હું શિક્ષક છું..


જ્ઞાનનો પથ બતાવીને જ્ઞાનપથ બનાવી જાણું છું

હું પથદર્શક છું.. હું શિક્ષક છું...


મુશ્કેલીઓ સામે અડગ રહી

લડત શીખવી વીર યોદ્ધા 

બનાવી જાણું છું.. હું શિક્ષક છું..


જ્ઞાનનો ઉજાસ પાથરી

તિમિરને દૂર કરૂં છું

હું અજ્ઞાનતાનો ભક્ષક છું... હું શિક્ષક છું..


આપી ઉરના આશિષ

પ્રાર્થના હું કરૂં છું 

હું શુભકામનાઓનો પ્રેષક છું.. હું શિક્ષક છું..


નિર્દોષ અને નિખાલસ મારા 

બાળદેવોના પ્રેમનો ભિક્ષુક છું.. હું શિક્ષક છું..



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.