Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપિન પરીખની રચના - પિતા જ્યારે હોતા નથી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-21 16:56:04

માતા પિતાનું સ્થાન બાળકના જીવનમાં અનેરૂં હોય છે. માતા પિતાનું સ્થાન કોઈ પણ નથી લઈ શક્તું. બાળકને નાનાથી મોટા કરવામાં માતા પિતાની આખી જિંદગી જતી રહેતી હોય છે. બાળકો પાછળ માતા પિતા જીવન ખર્ચી નાખે છે પરંતુ જ્યારે તેમને સહારાની જરૂર હોય છે ત્યારે તેમના સંતાનો તેમને સાચવતા નથી. આ કડવું લાગશે પરંતુ અનેક પરિવારોની આ વાસ્તવિક્તા છે. કવિતા એ માતાની પીડાનું વર્ણન કરે છે જેને એ ડર સતાવતો હોય છે કે તેના સંતાન તેમને સાચવશે ખરો? ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપીન પરીખની રચના પિતા જ્યારે હોતા નથી...  


‘આ પુત્ર મને સાચવશે ખરો ?’


પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી

પ્રશ્ન ડોકાયા કરી છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

પણ એ પ્રશ્ન શબ્દ બનીને

હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં

પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં

સુધી,


આ એ જ મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ

સૂતી,

આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?


હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.

ફક્ત

મને મારા

હાથ

કાપી નાખવાનું મન થાય છે.


-વિપિન પરીખ



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'