Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપિન પરીખની રચના - પિતા જ્યારે હોતા નથી...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:56:04

માતા પિતાનું સ્થાન બાળકના જીવનમાં અનેરૂં હોય છે. માતા પિતાનું સ્થાન કોઈ પણ નથી લઈ શક્તું. બાળકને નાનાથી મોટા કરવામાં માતા પિતાની આખી જિંદગી જતી રહેતી હોય છે. બાળકો પાછળ માતા પિતા જીવન ખર્ચી નાખે છે પરંતુ જ્યારે તેમને સહારાની જરૂર હોય છે ત્યારે તેમના સંતાનો તેમને સાચવતા નથી. આ કડવું લાગશે પરંતુ અનેક પરિવારોની આ વાસ્તવિક્તા છે. કવિતા એ માતાની પીડાનું વર્ણન કરે છે જેને એ ડર સતાવતો હોય છે કે તેના સંતાન તેમને સાચવશે ખરો? ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપીન પરીખની રચના પિતા જ્યારે હોતા નથી...  


‘આ પુત્ર મને સાચવશે ખરો ?’


પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી

પ્રશ્ન ડોકાયા કરી છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

પણ એ પ્રશ્ન શબ્દ બનીને

હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં

પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં

સુધી,


આ એ જ મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ

સૂતી,

આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?


હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.

ફક્ત

મને મારા

હાથ

કાપી નાખવાનું મન થાય છે.


-વિપિન પરીખ



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે