Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપિન પરીખની રચના - પિતા જ્યારે હોતા નથી...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:56:04

માતા પિતાનું સ્થાન બાળકના જીવનમાં અનેરૂં હોય છે. માતા પિતાનું સ્થાન કોઈ પણ નથી લઈ શક્તું. બાળકને નાનાથી મોટા કરવામાં માતા પિતાની આખી જિંદગી જતી રહેતી હોય છે. બાળકો પાછળ માતા પિતા જીવન ખર્ચી નાખે છે પરંતુ જ્યારે તેમને સહારાની જરૂર હોય છે ત્યારે તેમના સંતાનો તેમને સાચવતા નથી. આ કડવું લાગશે પરંતુ અનેક પરિવારોની આ વાસ્તવિક્તા છે. કવિતા એ માતાની પીડાનું વર્ણન કરે છે જેને એ ડર સતાવતો હોય છે કે તેના સંતાન તેમને સાચવશે ખરો? ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપીન પરીખની રચના પિતા જ્યારે હોતા નથી...  


‘આ પુત્ર મને સાચવશે ખરો ?’


પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી

પ્રશ્ન ડોકાયા કરી છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

પણ એ પ્રશ્ન શબ્દ બનીને

હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં

પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં

સુધી,


આ એ જ મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ

સૂતી,

આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?


હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.

ફક્ત

મને મારા

હાથ

કાપી નાખવાનું મન થાય છે.


-વિપિન પરીખ



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.