Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપિન પરીખની રચના - પિતા જ્યારે હોતા નથી...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:56:04

માતા પિતાનું સ્થાન બાળકના જીવનમાં અનેરૂં હોય છે. માતા પિતાનું સ્થાન કોઈ પણ નથી લઈ શક્તું. બાળકને નાનાથી મોટા કરવામાં માતા પિતાની આખી જિંદગી જતી રહેતી હોય છે. બાળકો પાછળ માતા પિતા જીવન ખર્ચી નાખે છે પરંતુ જ્યારે તેમને સહારાની જરૂર હોય છે ત્યારે તેમના સંતાનો તેમને સાચવતા નથી. આ કડવું લાગશે પરંતુ અનેક પરિવારોની આ વાસ્તવિક્તા છે. કવિતા એ માતાની પીડાનું વર્ણન કરે છે જેને એ ડર સતાવતો હોય છે કે તેના સંતાન તેમને સાચવશે ખરો? ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિપીન પરીખની રચના પિતા જ્યારે હોતા નથી...  


‘આ પુત્ર મને સાચવશે ખરો ?’


પિતા જ્યારે હોતા નથી

અને મા વધારે વૃદ્ધ થતી જાય છે

ત્યારે એની આંખમાંથી

પ્રશ્ન ડોકાયા કરી છે :

‘આ પુત્ર મને સાચવશે ખરો ?’

પણ એ પ્રશ્ન શબ્દ બનીને

હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા

જેણે મને ફૂલની જેમ સાચવ્યો,

જે મારાં

પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી –

હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં

સુધી,


આ એ જ મા

જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ

સૂતી,

આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે –

પણ બોલતી નથી.

એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે

કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?


હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.

ફક્ત

મને મારા

હાથ

કાપી નાખવાનું મન થાય છે.


-વિપિન પરીખ



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.