Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના - દીકરી મારી..


  • Published By :
  • Published Date : 2024-09-24 13:13:11

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી.. દીકરી બોજા રૂપ લાગે છે.. બાળકીને માન સન્માન મળવું જોઈએ જેની તે હકદાર હોય છે.. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું નથી બનતું.. નાની નાની બાળકીને લોકો આજકાલ પોતાની હવસનો શિકાર બનાવે છે. દાહોદથી સામે આવેલો કિસ્સો આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના... આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 



પચરંગી ઓઢલી ઓઢણીમાં લાડકડી

હૈયામાં હરખાતી જાય

ઘમ્મરિયો ઘાઘરોને બોલતારા મીંઠડા

મુખડેથી મલકાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...


આછેરી મલકાતી જાય, 

કોયલનો કંઠ જીણો

મોરલાનો ટહુકો ભીનો

આસોની અજવાળી

રાત્રિનું તેજ ગણો

વહેલી પરોઢમાં ઉગમણે દ્વાર મારે

અજવાળા અજવાળા

કે દીકરી મારી... કે દીકરી મારી....


આછેરી મલકાતી જાય

મીઠડાએ બોલ તારા

લાગે છે સૌને પ્યારા

ઝરણાની જેમ વહે

તારામાં પ્રેમધારા

જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી

શુકનમાં પથરાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...

આછેરી મલકાતી જાય...    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.