Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના - દીકરી મારી..


  • Published By :
  • Published Date : 2024-09-24 13:13:11

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી.. દીકરી બોજા રૂપ લાગે છે.. બાળકીને માન સન્માન મળવું જોઈએ જેની તે હકદાર હોય છે.. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું નથી બનતું.. નાની નાની બાળકીને લોકો આજકાલ પોતાની હવસનો શિકાર બનાવે છે. દાહોદથી સામે આવેલો કિસ્સો આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના... આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 



પચરંગી ઓઢલી ઓઢણીમાં લાડકડી

હૈયામાં હરખાતી જાય

ઘમ્મરિયો ઘાઘરોને બોલતારા મીંઠડા

મુખડેથી મલકાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...


આછેરી મલકાતી જાય, 

કોયલનો કંઠ જીણો

મોરલાનો ટહુકો ભીનો

આસોની અજવાળી

રાત્રિનું તેજ ગણો

વહેલી પરોઢમાં ઉગમણે દ્વાર મારે

અજવાળા અજવાળા

કે દીકરી મારી... કે દીકરી મારી....


આછેરી મલકાતી જાય

મીઠડાએ બોલ તારા

લાગે છે સૌને પ્યારા

ઝરણાની જેમ વહે

તારામાં પ્રેમધારા

જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી

શુકનમાં પથરાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...

આછેરી મલકાતી જાય...    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."