Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના - દીકરી મારી..


  • Published By :
  • Published Date : 2024-09-24 13:13:11

દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી.. દીકરી બોજા રૂપ લાગે છે.. બાળકીને માન સન્માન મળવું જોઈએ જેની તે હકદાર હોય છે.. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું નથી બનતું.. નાની નાની બાળકીને લોકો આજકાલ પોતાની હવસનો શિકાર બનાવે છે. દાહોદથી સામે આવેલો કિસ્સો આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના... આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 



પચરંગી ઓઢલી ઓઢણીમાં લાડકડી

હૈયામાં હરખાતી જાય

ઘમ્મરિયો ઘાઘરોને બોલતારા મીંઠડા

મુખડેથી મલકાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...


આછેરી મલકાતી જાય, 

કોયલનો કંઠ જીણો

મોરલાનો ટહુકો ભીનો

આસોની અજવાળી

રાત્રિનું તેજ ગણો

વહેલી પરોઢમાં ઉગમણે દ્વાર મારે

અજવાળા અજવાળા

કે દીકરી મારી... કે દીકરી મારી....


આછેરી મલકાતી જાય

મીઠડાએ બોલ તારા

લાગે છે સૌને પ્યારા

ઝરણાની જેમ વહે

તારામાં પ્રેમધારા

જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી

શુકનમાં પથરાતી જાય

કે દીકરી મારી.. કે દીકરી મારી...

આછેરી મલકાતી જાય...    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.