Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના - એકલો દુ:ખનો ભાગી હોય


  • Published By :
  • Published Date : 2024-11-28 14:55:24

કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે... ગમે તેટલું ખરાબ કેમ ના થાય પરંતુ સપના જોવાનું છોડવાનું નહીં... હારતા હોઈ પણ ભલે હારીએ, પડતી આવે તો પણ તેનો સ્વીકાર કરજે પણ સપના જોતો રહેજે... બાળકની જેમ નાના પગલા ભલે લેવા પડે તો લે જે પરંતુ સપના જોતો રહેજે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને જોઈ સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો....    



એકલો દુ:ખનો ભાગી હોય

કે ભીડનો સહભાગી

સપના જોતો રહેજે


જો બે ડગલા આગળ વધવાનો જોશ રાખે

તો ચાર ડગલા પાછળ પડવાની સહનશીલતા પણ રાખજે

પણ સપના જોતો રહેજે


હારતો હોય તો હારજે

ને પડતો હોય તો પડજે

થોડો પોરો ખાઈ લેજે

ભલે બાળક પગલાઓથી આગળ વધ

પણ સપના જોતો રહેજે


ઉંચાઈથી ઘબરાઈ ન જતો

દુનિયા તો આખી નીચે જ ખેંચવા બેઠી છે

પણ કોઈના હારે વેર ના પાળતો

કારણ જો નીચે પડ્યો તો એ જ બધા હસે 

ક્યારેક બીક લાગે 

તો યાદ રાખજે

ઉપરવાળો બેઠો જ છે

તું બસ સપના જોતો રહેજે


કારણ સપનામાં મહેલ જોયા વિના

હકીકતમાં પાયો પણ ના નખાય.... 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."