Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના - એકલો દુ:ખનો ભાગી હોય


  • Published By :
  • Published Date : 2024-11-28 14:55:24

કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે... ગમે તેટલું ખરાબ કેમ ના થાય પરંતુ સપના જોવાનું છોડવાનું નહીં... હારતા હોઈ પણ ભલે હારીએ, પડતી આવે તો પણ તેનો સ્વીકાર કરજે પણ સપના જોતો રહેજે... બાળકની જેમ નાના પગલા ભલે લેવા પડે તો લે જે પરંતુ સપના જોતો રહેજે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને જોઈ સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો....    



એકલો દુ:ખનો ભાગી હોય

કે ભીડનો સહભાગી

સપના જોતો રહેજે


જો બે ડગલા આગળ વધવાનો જોશ રાખે

તો ચાર ડગલા પાછળ પડવાની સહનશીલતા પણ રાખજે

પણ સપના જોતો રહેજે


હારતો હોય તો હારજે

ને પડતો હોય તો પડજે

થોડો પોરો ખાઈ લેજે

ભલે બાળક પગલાઓથી આગળ વધ

પણ સપના જોતો રહેજે


ઉંચાઈથી ઘબરાઈ ન જતો

દુનિયા તો આખી નીચે જ ખેંચવા બેઠી છે

પણ કોઈના હારે વેર ના પાળતો

કારણ જો નીચે પડ્યો તો એ જ બધા હસે 

ક્યારેક બીક લાગે 

તો યાદ રાખજે

ઉપરવાળો બેઠો જ છે

તું બસ સપના જોતો રહેજે


કારણ સપનામાં મહેલ જોયા વિના

હકીકતમાં પાયો પણ ના નખાય.... 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?