Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના - એકલો દુ:ખનો ભાગી હોય


  • Published By :
  • Published Date : 2024-11-28 14:55:24

કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે... ગમે તેટલું ખરાબ કેમ ના થાય પરંતુ સપના જોવાનું છોડવાનું નહીં... હારતા હોઈ પણ ભલે હારીએ, પડતી આવે તો પણ તેનો સ્વીકાર કરજે પણ સપના જોતો રહેજે... બાળકની જેમ નાના પગલા ભલે લેવા પડે તો લે જે પરંતુ સપના જોતો રહેજે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને જોઈ સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો....    



એકલો દુ:ખનો ભાગી હોય

કે ભીડનો સહભાગી

સપના જોતો રહેજે


જો બે ડગલા આગળ વધવાનો જોશ રાખે

તો ચાર ડગલા પાછળ પડવાની સહનશીલતા પણ રાખજે

પણ સપના જોતો રહેજે


હારતો હોય તો હારજે

ને પડતો હોય તો પડજે

થોડો પોરો ખાઈ લેજે

ભલે બાળક પગલાઓથી આગળ વધ

પણ સપના જોતો રહેજે


ઉંચાઈથી ઘબરાઈ ન જતો

દુનિયા તો આખી નીચે જ ખેંચવા બેઠી છે

પણ કોઈના હારે વેર ના પાળતો

કારણ જો નીચે પડ્યો તો એ જ બધા હસે 

ક્યારેક બીક લાગે 

તો યાદ રાખજે

ઉપરવાળો બેઠો જ છે

તું બસ સપના જોતો રહેજે


કારણ સપનામાં મહેલ જોયા વિના

હકીકતમાં પાયો પણ ના નખાય.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.