Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના - દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


  • Published By :
  • Published Date : 2024-11-27 13:32:26

જ્યારે ગરીબના દીકરાને જોઈએ છે ત્યારે આપણને દયા આવી જાય છે.. અનકે દિવસોના ભૂખ્યા બાળકો હોય છે જે જમવા માટે તરસતા હોય છે.. ઉપવાસ કરવો જાણે તેમના માટે ફરજ હોય તેવું લાગે છે..બધું નસીબને આધીન છે... કોઈ છોકરાને જન્મતા જ જોહાજલાલી વાળું જીવન મળે છે... હિંચકો હોત, ધ્યાન રાખવા માટે નર્સ હોત..વગેરે વગેરે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના....  



દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક


ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત

મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત

સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત

તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત

પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં

ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક


હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે

મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે

આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે

મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે

વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર

મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક


તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે

શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે

એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા

લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક


ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં

ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં

આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની

ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની

આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,

ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.