Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દાદની રચના - આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-03 18:16:17

આપણી ભારત ભૂમિ વંદનીય છે... ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે જેને લઈ લાગે કે આ ભુમિમાં દૈવત જેવું કંઈક છે.. મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દાદની રચના...     



આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

વાવો મહાભારત અને ગીતા નીકળે


છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો

જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે


હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા

રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે


કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે

તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે


ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી

તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે


શુ તાસીર છે આ ભુમીની હજી રાજા

જનક જેવા હળ હાકે તો સીતા નીકળે


-કવિ દાદ



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...