Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં


  • Published By :
  • Published Date : 2024-04-10 18:02:57

હાલ મોબાઈલનો જમાનો છે.. મોબાઈલમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે સામે બેઠેલા માણસ સાથે પણ તે વાત નથી કરતો. દરેક વસ્તુ ઈમેલના માધ્યમથી મોકલે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં કવિ ઈમેલની વાત કરી રહ્યા છે. આ કવિતા કોની છે તેની તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જાણ કરજો... 



કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં 

દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં 


ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ

બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં 


હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર

મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં 


જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા

ક્લિક કરો ને આવરણ સૌ ઉતરે ઈ-મેલમાં 


રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર

સ્પર્શ એના ટેરવાઓનો હશે ઈ-મેલમાં 


હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો

પ્લેનની જ્યારે ટિકીટ સસ્તી મળે ઈ-મેલમાં 


જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી

બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં 


શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?

કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમા? 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"