Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં


  • Published By :
  • Published Date : 2024-04-10 18:02:57

હાલ મોબાઈલનો જમાનો છે.. મોબાઈલમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે સામે બેઠેલા માણસ સાથે પણ તે વાત નથી કરતો. દરેક વસ્તુ ઈમેલના માધ્યમથી મોકલે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં કવિ ઈમેલની વાત કરી રહ્યા છે. આ કવિતા કોની છે તેની તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જાણ કરજો... 



કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં 

દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં 


ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ

બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં 


હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર

મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં 


જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા

ક્લિક કરો ને આવરણ સૌ ઉતરે ઈ-મેલમાં 


રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર

સ્પર્શ એના ટેરવાઓનો હશે ઈ-મેલમાં 


હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો

પ્લેનની જ્યારે ટિકીટ સસ્તી મળે ઈ-મેલમાં 


જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી

બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં 


શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?

કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમા? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે