Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં


  • Published By :
  • Published Date : 2024-04-10 18:02:57

હાલ મોબાઈલનો જમાનો છે.. મોબાઈલમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે સામે બેઠેલા માણસ સાથે પણ તે વાત નથી કરતો. દરેક વસ્તુ ઈમેલના માધ્યમથી મોકલે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં કવિ ઈમેલની વાત કરી રહ્યા છે. આ કવિતા કોની છે તેની તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જાણ કરજો... 



કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં 

દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં 


ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ

બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં 


હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર

મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં 


જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા

ક્લિક કરો ને આવરણ સૌ ઉતરે ઈ-મેલમાં 


રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર

સ્પર્શ એના ટેરવાઓનો હશે ઈ-મેલમાં 


હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો

પ્લેનની જ્યારે ટિકીટ સસ્તી મળે ઈ-મેલમાં 


જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી

બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં 


શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?

કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમા? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.