Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-10 18:02:57

હાલ મોબાઈલનો જમાનો છે.. મોબાઈલમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે સામે બેઠેલા માણસ સાથે પણ તે વાત નથી કરતો. દરેક વસ્તુ ઈમેલના માધ્યમથી મોકલે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં કવિ ઈમેલની વાત કરી રહ્યા છે. આ કવિતા કોની છે તેની તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જાણ કરજો... 



કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં 

દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં 


ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ

બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં 


હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર

મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં 


જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા

ક્લિક કરો ને આવરણ સૌ ઉતરે ઈ-મેલમાં 


રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર

સ્પર્શ એના ટેરવાઓનો હશે ઈ-મેલમાં 


હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો

પ્લેનની જ્યારે ટિકીટ સસ્તી મળે ઈ-મેલમાં 


જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી

બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં 


શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?

કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમા? 



લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..