Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા


  • Published By :
  • Published Date : 2024-08-13 17:57:49

બાળકને માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્યાર નથી દેખાતો..માતા બાળકના વર્તમાનની ચિંતા કરતી હોય છે પરંતુ પિતાને બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. અનેક વખત બાળકની નફરત પિતાને સહન કરવી પડતી હોય છે.. પિતા જો શીખામણ આપે તો બાળક નફરત કરવા લાગે છે.. પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો બાળકને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જતું હોય છે..સાહિત્યના સમીપમાં પિતાને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા

પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા


આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?

પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા


વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી

પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા


ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે

પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા


શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ

પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા   



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.