Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા


  • Published By :
  • Published Date : 2024-08-13 17:57:49

બાળકને માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્યાર નથી દેખાતો..માતા બાળકના વર્તમાનની ચિંતા કરતી હોય છે પરંતુ પિતાને બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. અનેક વખત બાળકની નફરત પિતાને સહન કરવી પડતી હોય છે.. પિતા જો શીખામણ આપે તો બાળક નફરત કરવા લાગે છે.. પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો બાળકને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જતું હોય છે..સાહિત્યના સમીપમાં પિતાને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા

પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા


આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?

પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા


વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી

પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા


ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે

પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા


શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ

પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .