Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા


  • Published By :
  • Published Date : 2024-08-13 17:57:49

બાળકને માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્યાર નથી દેખાતો..માતા બાળકના વર્તમાનની ચિંતા કરતી હોય છે પરંતુ પિતાને બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. અનેક વખત બાળકની નફરત પિતાને સહન કરવી પડતી હોય છે.. પિતા જો શીખામણ આપે તો બાળક નફરત કરવા લાગે છે.. પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો બાળકને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જતું હોય છે..સાહિત્યના સમીપમાં પિતાને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા

પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા


આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?

પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા


વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી

પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા


ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે

પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા


શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ

પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.