Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા


  • Published By :
  • Published Date : 2024-08-13 17:57:49

બાળકને માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્યાર નથી દેખાતો..માતા બાળકના વર્તમાનની ચિંતા કરતી હોય છે પરંતુ પિતાને બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. અનેક વખત બાળકની નફરત પિતાને સહન કરવી પડતી હોય છે.. પિતા જો શીખામણ આપે તો બાળક નફરત કરવા લાગે છે.. પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો બાળકને જ્યારે સમજાય છે ત્યારે મોડું થઈ જતું હોય છે..સાહિત્યના સમીપમાં પિતાને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા

પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા


આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?

પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા


વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી

પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા


ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે

પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા


શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ

પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી