Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું...


  • Published By :
  • Published Date : 2024-04-15 16:44:35

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.. બાળકમાં એવી નિર્દોષતા હોય છે, એ ભોળાપણું હોય છે બાળકમાં જે મોટા થયા પછી ક્યાંય વિસરાઈ જતું હોય છે... માતાનો સ્નેહ મળતો હોય છે, માતાનો પાલવ પકડીને બાળકો દોડતા હોય છે...  નાના હોઈએ ત્યારે આપણે પોતાની મસ્તીમાં રહેતા હોઈએ છીએ,.. પરંતુ આ બધી વાતો ત્યારે યાદ આવે છે, બાળપણ આટલું અદ્ભૂત હતું તે વાતનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ધ્રુવ પટેલની રચના...     


ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું

નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


મમતાના વરસાદમાં ભીંજાઈ જવા માંગુ છું

માં તારો પાલવ પકડીને દોડવા હું માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


સમયની એ જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું

વિસરાઈ ગયેલા સમયમાં વિસ્તરાઈ જવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ બનીએ નિજાનંદમાં ચાલવા માંગુ છું

ઘણું બધુ જીત્યા પછી હવે હારવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી સ્વપ્નોનાં આકાળમાં શ્વાસ લેવા માગું છું

એ કિલ્લોલના આનંદનો આભાસ કરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ્યા મિત્રો સાથે ફરીવાર રમવા માંગુ છું

જીવનને પાછોએ ખુશીઓની પળો ધરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માગું છું

- ધ્રુવ પટેલ



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.