Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું...


  • Published By :
  • Published Date : 2024-04-15 16:44:35

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.. બાળકમાં એવી નિર્દોષતા હોય છે, એ ભોળાપણું હોય છે બાળકમાં જે મોટા થયા પછી ક્યાંય વિસરાઈ જતું હોય છે... માતાનો સ્નેહ મળતો હોય છે, માતાનો પાલવ પકડીને બાળકો દોડતા હોય છે...  નાના હોઈએ ત્યારે આપણે પોતાની મસ્તીમાં રહેતા હોઈએ છીએ,.. પરંતુ આ બધી વાતો ત્યારે યાદ આવે છે, બાળપણ આટલું અદ્ભૂત હતું તે વાતનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ધ્રુવ પટેલની રચના...     


ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું

નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


મમતાના વરસાદમાં ભીંજાઈ જવા માંગુ છું

માં તારો પાલવ પકડીને દોડવા હું માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


સમયની એ જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું

વિસરાઈ ગયેલા સમયમાં વિસ્તરાઈ જવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ બનીએ નિજાનંદમાં ચાલવા માંગુ છું

ઘણું બધુ જીત્યા પછી હવે હારવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી સ્વપ્નોનાં આકાળમાં શ્વાસ લેવા માગું છું

એ કિલ્લોલના આનંદનો આભાસ કરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ્યા મિત્રો સાથે ફરીવાર રમવા માંગુ છું

જીવનને પાછોએ ખુશીઓની પળો ધરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માગું છું

- ધ્રુવ પટેલ



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે