Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું...


  • Published By :
  • Published Date : 2024-04-15 16:44:35

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.. બાળકમાં એવી નિર્દોષતા હોય છે, એ ભોળાપણું હોય છે બાળકમાં જે મોટા થયા પછી ક્યાંય વિસરાઈ જતું હોય છે... માતાનો સ્નેહ મળતો હોય છે, માતાનો પાલવ પકડીને બાળકો દોડતા હોય છે...  નાના હોઈએ ત્યારે આપણે પોતાની મસ્તીમાં રહેતા હોઈએ છીએ,.. પરંતુ આ બધી વાતો ત્યારે યાદ આવે છે, બાળપણ આટલું અદ્ભૂત હતું તે વાતનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ધ્રુવ પટેલની રચના...     


ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું

નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


મમતાના વરસાદમાં ભીંજાઈ જવા માંગુ છું

માં તારો પાલવ પકડીને દોડવા હું માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


સમયની એ જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું

વિસરાઈ ગયેલા સમયમાં વિસ્તરાઈ જવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ બનીએ નિજાનંદમાં ચાલવા માંગુ છું

ઘણું બધુ જીત્યા પછી હવે હારવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી સ્વપ્નોનાં આકાળમાં શ્વાસ લેવા માગું છું

એ કિલ્લોલના આનંદનો આભાસ કરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ્યા મિત્રો સાથે ફરીવાર રમવા માંગુ છું

જીવનને પાછોએ ખુશીઓની પળો ધરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માગું છું

- ધ્રુવ પટેલ



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.