Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું...


  • Published By :
  • Published Date : 2024-04-15 16:44:35

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.. બાળકમાં એવી નિર્દોષતા હોય છે, એ ભોળાપણું હોય છે બાળકમાં જે મોટા થયા પછી ક્યાંય વિસરાઈ જતું હોય છે... માતાનો સ્નેહ મળતો હોય છે, માતાનો પાલવ પકડીને બાળકો દોડતા હોય છે...  નાના હોઈએ ત્યારે આપણે પોતાની મસ્તીમાં રહેતા હોઈએ છીએ,.. પરંતુ આ બધી વાતો ત્યારે યાદ આવે છે, બાળપણ આટલું અદ્ભૂત હતું તે વાતનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ધ્રુવ પટેલની રચના...     


ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું

નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


મમતાના વરસાદમાં ભીંજાઈ જવા માંગુ છું

માં તારો પાલવ પકડીને દોડવા હું માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


સમયની એ જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું

વિસરાઈ ગયેલા સમયમાં વિસ્તરાઈ જવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ બનીએ નિજાનંદમાં ચાલવા માંગુ છું

ઘણું બધુ જીત્યા પછી હવે હારવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી સ્વપ્નોનાં આકાળમાં શ્વાસ લેવા માગું છું

એ કિલ્લોલના આનંદનો આભાસ કરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ્યા મિત્રો સાથે ફરીવાર રમવા માંગુ છું

જીવનને પાછોએ ખુશીઓની પળો ધરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માગું છું

- ધ્રુવ પટેલ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.