Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે


  • Published By :
  • Published Date : 2024-08-10 18:09:52

સમય નથી.. આ વાક્ય આપણામાંથી અનેક દિવસમાં ઘણી બધી વાર સાંભળતા હશો, કહેતા હશો.. કોઈ પણ કહે કે આ કામ કરવાનું છે તો આપણે કહીએ છીએ કે સમય નથી. કોઈ હોય છે જો એમને ફરવા આવવા માટે કહીએ તો કહેતા હોય છે કે હાલ સમય નથી. યુવાનીમાં કામની સાથે જ્યારે ફરવાનું પણ હોય છે ત્યારે તે કામમાંને કામમાં, પૈસા પાછળ એટલા બધા પડે છે કે પોતાના માટે સમય નથી કાઢી શકતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે પરંતુ એટલું બધું પણ નહીં કે સમયની કમી થઈ જાય. મોટા મોટા ઘરમાં રહેતા લોકો દુ:ખી હોય છે અને ઘણી વખત ઝૂંપડીમાં રહેતા લોકો પણ ખુશ હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના..  આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે 

સમય મારી પાસે અઢળક હતો

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો

સમયની મારી પાસે સર્જાણી કમી


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી

હતું જે કંઈક અનેરૂં હાસ્યએ ઝૂંપડીમાં

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી..


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો

લાગતો મીઠો, જ્યારે જમતાં સૌ હળીમળી

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી..


હતી રૂપિયાની કમી જ્યારે માગવા છતાં પણ

જાકારો જોઈ બધાંનો હૃદય પળ પશ રોયું છે

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી



હોઈ ટાઢ, તડકો કે પછી મુશળધાર એવો વરસાદ

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા યાર

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સુકુનની નીંદર કરી શકું એટલો સમય નથી


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનામાં મશગુલ

જમ્યું? એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી


હતી જિંદગીની મજા જ કંઈક અલગ પ્રવાહ

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવા

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે કેમ છે?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.