Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે


  • Published By :
  • Published Date : 2024-08-10 18:09:52

સમય નથી.. આ વાક્ય આપણામાંથી અનેક દિવસમાં ઘણી બધી વાર સાંભળતા હશો, કહેતા હશો.. કોઈ પણ કહે કે આ કામ કરવાનું છે તો આપણે કહીએ છીએ કે સમય નથી. કોઈ હોય છે જો એમને ફરવા આવવા માટે કહીએ તો કહેતા હોય છે કે હાલ સમય નથી. યુવાનીમાં કામની સાથે જ્યારે ફરવાનું પણ હોય છે ત્યારે તે કામમાંને કામમાં, પૈસા પાછળ એટલા બધા પડે છે કે પોતાના માટે સમય નથી કાઢી શકતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે પરંતુ એટલું બધું પણ નહીં કે સમયની કમી થઈ જાય. મોટા મોટા ઘરમાં રહેતા લોકો દુ:ખી હોય છે અને ઘણી વખત ઝૂંપડીમાં રહેતા લોકો પણ ખુશ હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના..  આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે 

સમય મારી પાસે અઢળક હતો

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો

સમયની મારી પાસે સર્જાણી કમી


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી

હતું જે કંઈક અનેરૂં હાસ્યએ ઝૂંપડીમાં

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી..


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો

લાગતો મીઠો, જ્યારે જમતાં સૌ હળીમળી

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી..


હતી રૂપિયાની કમી જ્યારે માગવા છતાં પણ

જાકારો જોઈ બધાંનો હૃદય પળ પશ રોયું છે

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી



હોઈ ટાઢ, તડકો કે પછી મુશળધાર એવો વરસાદ

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા યાર

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સુકુનની નીંદર કરી શકું એટલો સમય નથી


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનામાં મશગુલ

જમ્યું? એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી


હતી જિંદગીની મજા જ કંઈક અલગ પ્રવાહ

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવા

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે કેમ છે?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.