Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે


  • Published By :
  • Published Date : 2024-08-10 18:09:52

સમય નથી.. આ વાક્ય આપણામાંથી અનેક દિવસમાં ઘણી બધી વાર સાંભળતા હશો, કહેતા હશો.. કોઈ પણ કહે કે આ કામ કરવાનું છે તો આપણે કહીએ છીએ કે સમય નથી. કોઈ હોય છે જો એમને ફરવા આવવા માટે કહીએ તો કહેતા હોય છે કે હાલ સમય નથી. યુવાનીમાં કામની સાથે જ્યારે ફરવાનું પણ હોય છે ત્યારે તે કામમાંને કામમાં, પૈસા પાછળ એટલા બધા પડે છે કે પોતાના માટે સમય નથી કાઢી શકતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે પરંતુ એટલું બધું પણ નહીં કે સમયની કમી થઈ જાય. મોટા મોટા ઘરમાં રહેતા લોકો દુ:ખી હોય છે અને ઘણી વખત ઝૂંપડીમાં રહેતા લોકો પણ ખુશ હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના..  આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે 

સમય મારી પાસે અઢળક હતો

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો

સમયની મારી પાસે સર્જાણી કમી


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી

હતું જે કંઈક અનેરૂં હાસ્યએ ઝૂંપડીમાં

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી..


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો

લાગતો મીઠો, જ્યારે જમતાં સૌ હળીમળી

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી..


હતી રૂપિયાની કમી જ્યારે માગવા છતાં પણ

જાકારો જોઈ બધાંનો હૃદય પળ પશ રોયું છે

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી



હોઈ ટાઢ, તડકો કે પછી મુશળધાર એવો વરસાદ

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા યાર

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સુકુનની નીંદર કરી શકું એટલો સમય નથી


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનામાં મશગુલ

જમ્યું? એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી


હતી જિંદગીની મજા જ કંઈક અલગ પ્રવાહ

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવા

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે કેમ છે?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.  



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.