Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે


  • Published By :
  • Published Date : 2024-08-10 18:09:52

સમય નથી.. આ વાક્ય આપણામાંથી અનેક દિવસમાં ઘણી બધી વાર સાંભળતા હશો, કહેતા હશો.. કોઈ પણ કહે કે આ કામ કરવાનું છે તો આપણે કહીએ છીએ કે સમય નથી. કોઈ હોય છે જો એમને ફરવા આવવા માટે કહીએ તો કહેતા હોય છે કે હાલ સમય નથી. યુવાનીમાં કામની સાથે જ્યારે ફરવાનું પણ હોય છે ત્યારે તે કામમાંને કામમાં, પૈસા પાછળ એટલા બધા પડે છે કે પોતાના માટે સમય નથી કાઢી શકતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે પરંતુ એટલું બધું પણ નહીં કે સમયની કમી થઈ જાય. મોટા મોટા ઘરમાં રહેતા લોકો દુ:ખી હોય છે અને ઘણી વખત ઝૂંપડીમાં રહેતા લોકો પણ ખુશ હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના..  આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે 

સમય મારી પાસે અઢળક હતો

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો

સમયની મારી પાસે સર્જાણી કમી


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી

હતું જે કંઈક અનેરૂં હાસ્યએ ઝૂંપડીમાં

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી..


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો

લાગતો મીઠો, જ્યારે જમતાં સૌ હળીમળી

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી..


હતી રૂપિયાની કમી જ્યારે માગવા છતાં પણ

જાકારો જોઈ બધાંનો હૃદય પળ પશ રોયું છે

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી



હોઈ ટાઢ, તડકો કે પછી મુશળધાર એવો વરસાદ

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા યાર

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સુકુનની નીંદર કરી શકું એટલો સમય નથી


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનામાં મશગુલ

જમ્યું? એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી


હતી જિંદગીની મજા જ કંઈક અલગ પ્રવાહ

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવા

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે કેમ છે?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.